વલસાડ : અતુલ ખાતે આશા સંમેલન યોજાયું, શ્રેષ્‍ઠ કામગીરી કરનાર આશાબહેનોને સન્‍માનિત કરાય...

વલસાડ તાલુકાના તમામ પ્રાથમિક, શહેરી આરોગ્‍ય કેન્‍દ્રની આશા બહેનો તથા આશા ફેસીલીટેટર બહેનોનું સંમેલન યોજાયું હતું

New Update

વલસાડ તાલુકાના અતુલ ગ્રામ પંચાયત હોલ ખાતે વલસાડ તાલુકાના તમામ પ્રાથમિક, શહેરી આરોગ્‍ય કેન્‍દ્રની આશા બહેનો તથા આશા ફેસીલીટેટર બહેનોનું સંમેલન યોજાયું હતું. આ અવસરે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલે આશાવર્કરોને કોરોના મહામારી સહિત અન્‍ય આરોગ્‍યલક્ષી સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. તાલુકા હેલ્‍થ ઓફિસર કમલ ચૌધરીએ કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલા રસીકરણ અભિયાનમાં આશા બહેનોની કામગીરીને બિરદાવી હતી. કોવિડ-૧૯ રસીકરણ રસી લેવાને કારણે કોરોનાની ત્રીજી લહેરમાં ઓછી તકલીફ પડી હતી. હવે પછી કોઈપણ વ્‍યક્‍તિ રસી લેવા વગર રહી ન જાય તેની કાળજી રાખવા જણાવ્‍યું હતું.

આ અવસરે મેડીકલ કોલેજના ડો. સુનિલ, ડો.વૈભવ દ્વારા કુપોષણ અંગે વિસ્‍તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું હતું. આ અવસરે શ્રેષ્‍ઠ કામગીરી કરનારી આશાબહેનોને પ્રમાણપત્ર તથા મોમેન્‍ટો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આભારવિધિ તાલુકા આઇ.ઇ.સી. અધિકારી શૈલેષભાઇએ કરી હતી. અતુલ ગ્રામ પંચાયત સરપંચ વિક્રમભાઇ, જિલ્લા આઇ.ઇ.સી. અધિકારી પંકજભાઇ પટેલ, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર હરીયાના મેડીકલ ઓફિસર ડો. વિરેન પટેલ, મેડીકલ કોલેજના ડો. સુનિલ, ડો.વૈભવ તથા ડો. કૃણાલ તેમજ તાલુકા હેલ્‍થ કચેરીના સ્‍ટાફ વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.