આ વરસાદની ઋતુમાં વાયરલ તાવને રોકવા માટે આ સરળ ટિપ્સ અપનાવો

વરસાદની ઋતુમાં શરદી, ઉધરસ અને ફલૂ સહિત વાયરલ તાવનું જોખમ વધે છે. અને સાથે સાથે મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા અને ઝિકા વાયરસ જેવા રોગો પણ આવે છે.
આ રોગોથી પોતાને બચાવવા માટે ફુલ સ્લીવના કપડાં પહેરો. આ મચ્છરના કરડવાથી થતા ચેપનું જોખમ ઘટાડે છે. રક્ષણ માટે મચ્છર અગરબતી નો ઉપયોગ કરો.
મચ્છર અગરબતી કોઇલ (ધૂપસડી ) નો પણ ઉપયોગ કરવો જોઈએ. અને ઘરમાં કોઈ પાણી ભરેલા વાસણો ન રાખો જેથી તેમાં મચ્છરો ના બેસહી શકે.
ડોક્ટરો હંમેશા વરસાદની સીઝનમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સલાહ આપે છે.
આ માટે દરરોજ તમારા આહારમાં વિટામિન-સી ધરાવતા ફળો અને શાકભાજીનું સેવન કરવું જોઈએ, અસામાન્ય તાપમાનને કારણે થતા રોગોથી બચવા માટે હર્બલ ટી અને ઉકાળો પીવો.
તે જ સમયે, વાયરલ તાવને રોકવા માટે આ ટીપ્સને અપનાવો.
વાયરલ તાવના લક્ષણો:-
1 - ગળામાં દુખાવો
2 - માથાનો દુખાવો
3 - તાવ
4 - શરીરનો દુખાવો
5 - ચીડિયાપણું
6 - શરદી ઉધરસ
વાયરલ તાવને કેવી રીતે અટકાવી શકાય :-
- નિયમિત અંતરે તમારા હાથ ધોવા.
- માસ્ક પહેરીને ઘરની બહાર નીકળો. તે જ સમયે, 20-30 મિનિટમાં હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
- ખાંસી કે છીંકતી વખતે ટીશ્યુ પેપર અથવા રૂમાલનો ઉપયોગ કરો.
- સંતુલિત આહાર લો અને દરરોજ વર્કઆઉટ કરો.
- વાયરલ તાવના કિસ્સામાં, ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી.
- રોજ હળદરવાળું દૂધ પીવો, અથવા સવારમાં હુંફાળું ગરમ પાણી પીવું
તમારા આહારમાં વિટામિન-સી સમૃદ્ધ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો.
આ માટે લીંબુ, નારંગી, દાડમ, દ્રાક્ષ વગેરે
વાયરલ તાવમાં દહીં, અથાણું વગેરે વસ્તુઓનું સેવન ન કરો.
વરસાદની ઋતુમાં દિવસ દરમિયાન સૂવાનું ટાળો.