દેશમાં છેલ્લા 24 કલાકમાં 41649 નવા કોરોનાના કેસ નોંધાયા; 593 લોકોના મોત

ગઈકાલે દેશમાં 37 હજાર 291 લોકો સાજા થયા છે, જે પછી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 7 લાખ 81 હજાર 263 થઈ ગઈ છે

New Update

દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 41 હજાર 649 નવા કેસ નોંધાયા છે. જ્યારે 593 સંક્રમિત લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં આ જીવલેણ રોગને કારણે અત્યાર સુધીમાં 4 લાખ 23 હજાર 810 લોકોનાં મોત નીપજ્યાં છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 37 હજાર 291 લોકો કોરોનાથી સાજા થયા છે, જે પછી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 7 લાખ 81 હજાર 263 થઈ ગઈ છે. ત્યારે દેશમાં સક્રિય કેસ 4 લાખ 8 હજાર 920 પર આવી ગયા છે. એટલે કે હવે દેશમાં ઘણા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 16 લાખ 13 હજાર 993 કેસ નોંધાયા છે.

દેશમાં અત્યાર સુધીમાં રસીના 46 કરોડ 15 લાખ 18 હજાર 479 લોકોને ડોઝ આપવામાં આવ્યા છે. સાંજે 7 વાગ્યાના અહેવાલ મુજબ, શુક્રવારે રસીના 44,38,901 ડોઝ આપવામાં આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું હતું કે 18-44 વય જૂથના લોકોમાં 20,96,446 લોકોને ગઈકાલે રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે 3,41,500 લોકોએ બીજી ડોઝ લીધી હતી. 18-44 વયજૂથના કુલ 15,17,27,430 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆતથી આજ સુધી 80,31,011 લોકોને બીજી ડોઝ આપવામાં આવી છે.