Connect Gujarat
દેશ

હત્યાના 19 વર્ષ જૂના કેસમાં રામ રહીમ સહિત 5 આરોપી ગુનેગાર, CBIની વિશેષ કોર્ટ સંભળાવશે સજા...

હત્યાના 19 વર્ષ જૂના કેસમાં રામ રહીમ સહિત 5 આરોપી ગુનેગાર, CBIની વિશેષ કોર્ટ સંભળાવશે સજા...
X

પંજાબી રણજીત હત્યા મામલામાં CBI કોર્ટે સુનારિયા જેલમાં બંધ રામ રહીમ સહિત 5 આરોપીને ગુનેગાર ઠરાવ્યા છે. કોર્ટે હજુ સુધી સજાનું એલાન કર્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે, CBIની વિશેષ કોર્ટ તા. 12 ઓક્ટોબરે તમામ ગુનેગારોને સજા સંભળાવશે, ત્યારે આ હત્યા મામલે રામ રહીમ, કૃષ્ણલાલ, સબદિલ, અવતાર અને જસબીર ગુનેગાર ગણાવ્યા છે.

રણજીત સિંહ હત્યા મામલામાં શુક્રવારે આરોપી ડેરા મુખી ગુરમીત રામ રહીમ અને કૃષ્ણકુમાર વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજુ થયા, ત્યારે આરોપી અવતાર, જસવીર અને સબદિલ પ્રત્યક્ષ રુપથી કોર્ટમાં રજૂ રહ્યા. કોર્ટે આ મામલામાં પહેલા 26 ઓગસ્ટ નિર્ણય સંભળાવ્યો હતો. 19 વર્ષ જૂના આ મામલામાં ગત તા. 12 ઓગસ્ટે અંતિમ સુનાવણી થઈ હતી. CBI જજ ડો. સુશીલકુમાર ગર્ગની કોર્ટમાં દોઢ મહિના બાદ આરોપીને ગુનેગાર ઠરાવ્યા છે.

વર્ષ 2002માં રણજીત સિંહની હત્યા થઈ હતી. આ મામલામાં સિરસા ડેરા પ્રમુખ રામ રહીમને આરોપી બનાવવામાં આવ્યા છે. કોર્ટમાં સતત અનેકવાર સુનાવણી ટળી. રણજીતસિંહ ડેરાના મેનેજર હતા. CBIએ આરોપીઓ વિરુદ્ધ 2003માં કેસ નોંધાયો હતો અને 2007માં કોર્ટને ચાર્જ ફ્રેમ કર્યા હતા. નોંધનીય છે કે, ગુરમીત રામ રહીમને સાધ્વીઓના યૌન શોષણના મામલામાં પહેલા જ 20 વર્ષની સજા થઈ ચૂકી છે અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં પણ તે ઉંમરકેદની સજા કાપી રહ્યા છે.

Next Story