ઈન્દોરમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 7 લોકો બળીને ભડથું, સીએમ શિવરાજે વળતરની જાહેરાત કરી
મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં શુક્રવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં જીવતા સળગી જવાથી સાત લોકોના મોત થયા હતા.
મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં શુક્રવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં જીવતા સળગી જવાથી સાત લોકોના મોત થયા હતા. આ દર્દનાક અકસ્માત ઈન્દોરના સ્વર્ણબાગ કોલોનીમાં થયો હતો.
મૃતકોમાં છ પુરુષ અને એક મહિલા હોવાનું કહેવાય છે. આ અકસ્માત બપોરે 3 વાગ્યાની આસપાસ થયો હતો. માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આગ જલ્દી કાબુમાં આવી ગઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં 7 લોકોના મોત થઈ ચૂક્યા હતા. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. મૃતદેહો અને ઘાયલોને એમવાય હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ઈન્દોર આગની ઘટનામાં મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે. સીએમએ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા અને બેદરકારી દાખવનારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા.