પ્રોટોકોલ તોડીને કેન્દ્રીય મંત્રી ડૉ.કરાડે બચાવ્યો મુસાફરનો જીવ, PM મોદીએ કર્યા વખાણ
ભગવાન ધરતી પર ડૉક્ટરના રૂપમાં વસે છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ.ભાગવત કરાડે દ્વારા આ વાત સાચી સાબિત થઈ
ભગવાન ધરતી પર ડૉક્ટરના રૂપમાં વસે છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ.ભાગવત કરાડે દ્વારા આ વાત સાચી સાબિત થઈ. વાસ્તવમાં, સોમવારે ડો.ભાગવત કરાડે ઈન્ડિગોની ફ્લાઈટમાં દિલ્હીથી મુંબઈ જઈ રહ્યા હતા અને તેમની પાછળની સીટ પર બેસીને મુસાફરી કરી રહેલા એક મુસાફરની અચાનક તબિયત લથડી હતી. ક્રૂ મેમ્બર્સે મદદ માટે અપીલ કરી, જેને સાંભળીને કેન્દ્રીય મંત્રી ડો. કરાડે, એક ક્ષણનો પણ સમય બગાડ્યા વિના, આ મુસાફરને પ્રાથમિક સારવાર આપી અને તેનો જીવ બચાવ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેન્દ્રીય મંત્રી ડો.કરાડેના આ કાર્યની પ્રશંસા કરી છે. ઈન્ડિગો એરલાઈન્સે આ માટે કેન્દ્રીય મંત્રી કરાડેની પ્રશંસા કરી છે અને ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો છે. એરલાઈને ટ્વીટમાં લખ્યું, 'અમે તમારો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તમારી ફરજ પ્રત્યે હંમેશા જાગૃત રહેવા બદલ અમે કેન્દ્રીય મંત્રીની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરીએ છીએ. ડૉ. ભાગવત કરાડે સાથી પ્રવાસીને મદદ કરવા માટેનો તમારો સ્વૈચ્છિક સહયોગ ખૂબ જ પ્રેરણાદાયક છે.
આ માટે કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે હું 'સેવા અને સમર્પણ' દ્વારા દેશ અને લોકોની સેવા કરવા તમારા દ્વારા બતાવેલ માર્ગ પર ચાલી રહ્યો છું. પ્રોટોકોલ તોડીને કેન્દ્રીય મંત્રી ડૉ.કરાડે બચાવ્યો મુસાફરનો જીવ, PM મોદીએ કર્યા વખાણ
પ્રવાસીને મદદ કરવા માટે ડૉ. કરાડેને કેન્દ્રીય મંત્રી હોવાનો પ્રોટોકોલ તોડવો પડ્યો, પરંતુ તેમની પ્રતિક્રિયા ત્યાં હાજર દરેકના હૃદયને સ્પર્શી ગઈ. દરેકના મનમાં તેમના માટે આદરની લાગણી જન્મી. ડો.કરાડે આ સમગ્ર ઘટના અને તેનો અનુભવ તેમની ફેસબુક પોસ્ટ પર શેર કર્યો હતો. ડૉ ભગવત કરાડે મહારાષ્ટ્રના સાંસદ છે અને જુલાઈ 2021માં નાણાં રાજ્યમંત્રી તરીકે મોદી સરકારમાં જોડાયા હતા.