Connect Gujarat
દેશ

ઉડાન માટે તૈયાર છે ચન્દ્રયાન 3, આ ચન્દ્રયાન ખરેખર છે શું અને તેના ફાયદા શું છે? જાણો સંપૂર્ણ માહિતી.....

ભારત ચંદ્રયાન-2ના લોન્ચિંગનાં 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી આજે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે.

ઉડાન માટે તૈયાર છે ચન્દ્રયાન 3, આ ચન્દ્રયાન ખરેખર છે શું અને તેના ફાયદા શું છે? જાણો સંપૂર્ણ માહિતી.....
X

ભારત ચંદ્રયાન-2ના લોન્ચિંગનાં 3 વર્ષ, 11 મહિના અને 23 દિવસ પછી આજે ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2.35 કલાકે LVM3-M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

આ મિશન દ્વારા ભારત દુનિયાને પોતાનો સ્પેસ પાવર બતાવવા માગે છે. જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે. ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે.

લગભગ 40 દિવસ પછી એટલે કે 23 કે 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે. આ બંને 14 દિવસ સુધી ચંદ્ર પર પ્રયોગ કરશે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતાં રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા, ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે, માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે.

ચંદ્રયાન-3નું બજેટ લગભગ 615 કરોડ રૂપિયા છે જ્યારે તાજેતરની ફિલ્મ આદિપુરુષની કોસ્ટ 700 કરોડ રૂપિયા હતી. એટલે કે ચંદ્રયાન-3 આ ફિલ્મની કિંમત કરતાં લગભગ 85 કરોડ રૂપિયા સસ્તું છે. આના 4 વર્ષ પહેલાં મોકલવામાં આવેલ ચંદ્રયાન 2 ની કિંમત પણ 603 કરોડ રૂપિયા હતી. જો કે, તેના લોન્ચિંગ પર પણ 375 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ચંદ્રયાન-3નું પ્રક્ષેપણ ઈસરોની સત્તાવાર વેબસાઈટ અને યુટ્યૂબ ચેનલ પર લાઈવ બતાવવામાં આવશે.

તમે દૂરદર્શન પર ચંદ્રયાન-3નું લાઈવ પ્રક્ષેપણ પણ જોઈ શકો છો. જે લોકો સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી પ્રક્ષેપણને લાઈવ જોવા માગે છે તેમના માટે સ્પેસ એજન્સીએ ivg.shar.gov.in/ પર રજિસ્ટ્રેશન શરૂ કર્યું હતું. હવે રજિસ્ટ્રેશન બંધ છે.

આ મિશનથી ભારતને શું ફાયદો થશે?

ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક મનીષ પુરોહિતનું કહેવું છે કે આ મિશન દ્વારા ભારત દુનિયાને જણાવવા માંગે છે કે તેની પાસે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવાની અને ત્યાં રોવર ચલાવવાની ક્ષમતા છે. આનાથી ભારત પર વિશ્વનો વિશ્વાસ વધશે જે કોમર્શિયલ બિઝનેસ વધારવામાં મદદ કરશે.

ભારત તેના હેવી લિફ્ટ લોન્ચ વ્હીકલ LVM3-M4થી ચંદ્રયાન લોન્ચ કરશે. ભારત આ વાહનની ક્ષમતા દુનિયાને બતાવી ચૂક્યું છે. અગાઉ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કંપની 'બ્લુ ઓરિજિન'એ ISROના LVM3 રોકેટનો ઉપયોગ કરવામાં રસ દાખવ્યો હતો.

બ્લુ ઓરિજિન વ્યાપારી અને પ્રવાસન હેતુઓ માટે LVM3નો ઉપયોગ કરવા માંગે છે. LVM3 દ્વારા, બ્લુ ઓરિજિન તેના ક્રૂ કેપ્સ્યુલને આયોજિત લો અર્થ ઓર્બિટ (LEO) સ્પેસ સ્ટેશન પર લઈ જશે.

Next Story