દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધ્યા, એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,395 થઈ

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ (COVID 19) ના કેસ વધવા લાગ્યા છે. શનિવાર સુધીમાં, ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,395 થઈ ગઈ છે, જ્યારે છેલ્લા 24

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ (COVID 19) ના કેસ વધવા લાગ્યા છે. શનિવાર સુધીમાં, ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3,395 થઈ ગઈ છે,

જ્યારે છેલ્લા 24 કલાકમાં કારણે ચાર લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા પરથી આ માહિતી સામે આવી છે.

 આરોગ્ય મંત્રાલય અનુસાર, દેશમાં સૌથી વધુ સક્રિય કેસ કેરળ (1,336), મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયા છે. આ ઉપરાંત, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ પણ સક્રિય કેસોની યાદીમાં સામેલ છે.

દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 3,395 થઈ ગઈ છે. સૌથી વધુ કેસ કેરળ (1,336), ત્યારબાદ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છે.

 દેશમાં આઠ રાજ્યો એવા છે જ્યાં કોરોનાના 100 થી વધુ સક્રિય કેસ છે. આમાં કેરળ (1,336), મહારાષ્ટ્ર (467) અને દિલ્હી (375), ગુજરાત (265), કર્ણાટક (234), પશ્ચિમ બંગાળ (205), તમિલનાડુ (185) અને ઉત્તર પ્રદેશ (117) ઉપરાંતનો સમાવેશ થાય છે.

 છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત થયા છે. આ મૃત્યુ દિલ્હી, કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં થયા છે. આ સમય દરમિયાન, 1,435 લોકો સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા છે.

 મોટાભાગના દર્દીઓની સ્થિતિ ગંભીર નથી અને લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે. સરકાર કહે છે કે, ચિંતા કરવાની જરૂર નથી, પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

 મહારાષ્ટ્રમાં 467 સક્રિય કેસ છે. શનિવારે, અહીં 68 નવા કેસ મળી આવ્યા હતા, જેમાંથી 30 મુંબઈના અને 15 પુણેના છે. કલ્યાણ ડોમ્બિવલી અને રાયગઢમાં પણ કેટલાક કેસ નોંધાયા છે.