દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41,831 કેસ નોંધાયા, 541 દર્દીનાં મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,831 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 541 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

New Update

રવિવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,831 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 541 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,16,55,824 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 47,02,98,596 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસ મહામારી સામે લડીને 3 કરોડ 8 લાખ 20 હજાર 521 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 39,258 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.36 ટકા છે. હાલમાં 4,05,155 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,24,351 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 31 જુલાઈ, 2021 સુધીમાં ભારતમાં કુલ 46,82,16,510 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શનિવારના 24 કલાકમાં 17,89,472 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના કેસોની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 27 કેસ નોંધાયા છે. જેની સામે 35 દર્દીઓ સાજા થયા છે. 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,32,66,850 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. શનિવારે કુલ 3,08,647 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં જુલાઇ મહિના દરમિયાન વિક્રમજનક 75,06,756 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. પ્રતિ મિલિયન રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે.

ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 10, સુરતમાં 2, વડોદરામાં 3, રાજકોટમાં 1, ગાંધીનગર, જૂનાગઢમાં 2-2, અમરેલી, આણંદ, ભરૂચ, જામનગર, કચ્છ, નર્મદા, પંચમહાલમાં 1-1 સહિત કુલ 27 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં 5, સુરતમાં 5, વડોદરામાં 5, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં 3-3, દાહોદ, રાજકોટ, કચ્છ, જામનગરમાં 2-2, બોટાદ, સુરેન્દ્રનગરમાં 1-1 સહિત કુલ 35 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યારે કુલ 252 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 246 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814549 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Read the Next Article

પટના એરપોર્ટ પર મળી હતી બોમ્બની ધમકી , તપાસ અફવા હોવાનું બહાર આવ્યું, સુરક્ષામાં વધારો

બિહારની રાજધાની પટનામાં જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ (JPNI) એરપોર્ટ પર શનિવારે અધિકારીઓને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકી મળ્યા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી હતી, પરંતુ આ ધમકી અફવા હોવાનું બહાર આવ્યું.

New Update
10 (1)

બિહારની રાજધાની પટનામાં જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ (JPNI) એરપોર્ટ પર શનિવારે અધિકારીઓને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકી મળ્યા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી હતી, પરંતુ આ ધમકી અફવા હોવાનું બહાર આવ્યું.

 અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. શનિવારે એરપોર્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "શુક્રવારે રાત્રે 9 વાગ્યે એરપોર્ટ ડિરેક્ટરના ઇમેઇલ આઈડી પર બોમ્બ ધમકી મળી હતી. તેના થોડા સમય પછી, બોમ્બ ધમકી મૂલ્યાંકન સમિતિ (BTAC) ની બેઠક બોલાવવામાં આવી હતી. સમિતિએ ધમકીને અફવા ગણાવી હતી."

પોલીસ અધિક્ષક (પટના સેન્ટ્રલ) દીક્ષાએ જણાવ્યું હતું કે ઘટના બાદ એરપોર્ટ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. અધિકારીએ કહ્યું, "ધમકી અફવા હોવાનું બહાર આવ્યું. અમે ઇમેઇલ મોકલનાર વ્યક્તિને શોધવા માટે IP સરનામું શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ." તેમણે કહ્યું કે પોલીસે આ સંદર્ભમાં કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં પુણે એરપોર્ટ પર એક ખાનગી એરલાઇનની ઓફિસને ઇમેઇલ દ્વારા બોમ્બ ધમકી મળી હતી, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી.

ખરેખર, એરલાઇનને રાત્રે 1.25 વાગ્યે એક ઇમેઇલ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "એરપોર્ટ અને વિમાનોની આસપાસ રાખેલી બેગમાં શક્તિશાળી વિસ્ફોટક ઉપકરણો છુપાયેલા છે. તમારે તાત્કાલિક ઇમારત ખાલી કરવી પડશે. લોકો મરી જશે." એરપોર્ટ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે એરલાઇનના ગ્રાહક સેવા અધિકારીએ સવારે 6.45 વાગ્યે ઇમેઇલ વાંચ્યો અને અધિકારીઓને તેના વિશે જાણ કરી. માહિતી મળ્યા પછી, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF), બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને સ્થાનિક પોલીસે એરપોર્ટ પરિસરમાં અને બહાર સઘન તપાસ હાથ ધરી હતી. અધિકારીએ કહ્યું, "કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી નથી. ધમકી ખોટી હોવાનું બહાર આવ્યું."

Patana | Bihar | airport | bomb threat