જમ્મુ-કાશ્મીર : પુલવામા જિલ્લાના લૈરો-પરીગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થઈ અથડામણ, એક આતંકી ઠાર
BY Connect Gujarat21 Aug 2023 4:05 AM GMT
X
Connect Gujarat21 Aug 2023 4:05 AM GMT
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના લૈરો-પરીગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય દળોના જવાનો આ ઓપરેશનમાં સામેલ છે.
કાશ્મીર ઝોન પોલીસે રવિવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયાની માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉના ટ્વિટર) પર કાશ્મીર ઝોન પોલીસના સત્તાવાર પેજ પર લખ્યું હતું કે પુલવામાના લેરો-પરીગામ વિસ્તારમાં એન્કાઉન્ટર થયું છે. પોલીસ અને સુરક્ષા દળો ઓપરેશનમાં રોકાયેલા છે.
Next Story