જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એક પાકિસ્તાની સહિત ચાર આતંકવાદીને ઠાર માર્યા

New Update

જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં વધુ એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કરનો એક આતંકી માર્યો ગયો હતો. હાલ પોલીસ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

આ મામલે વાત કરતા કાશ્મીરના આઈજીપીએ કહ્યું હતું કે અમે ગઈકાલે રાત્રે 4-5 જગ્યાએ જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું. પુલવામામાં અત્યાર સુધીમાં એક પાકિસ્તાની સહિત જૈશના 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે ગાંદરબલ અને હંદવાડામાં લશ્કરનો 1 આતંકવાદી માર્યો ગયો છે, આ સિવાય અમે એક આતંકવાદીની ધરપકડ પણ કરી છે. તેમણે કહ્યું કે હંદવાડા અને પુલવામામાં એન્કાઉન્ટર ઓપરેશન પૂરું થઈ ગયું છે.10 માર્ચે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. નૈના બાટપોરા વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા અને પુલવામા જિલ્લામાં લશ્કર-એ-તૌયબા (LeT)ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સૂચનાના આધારે કાર્યવાહી કરીને સુરક્ષા દળોએ સોપોરના રફિયાબાદના નદીહાલ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે સર્ચ દરમિયાન પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૌયબાના એક આતંકવાદીના સહયોગીની ધરપકડ કરવામાં આવી છે.

Read the Next Article

પાકિસ્તાનના કરાચીમાં ફરી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકા અનુભવાયા; જાણો તેની તીવ્રતા

પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીમાં ભૂકંપ આવ્યો છે. શનિવારે અહીં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

New Update
Pakistan Earthquake

પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીમાં ભૂકંપ આવ્યો છે. શનિવારે અહીં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપને કારણે ઓછામાં ઓછા પાંચ વિસ્તારોમાં લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. લગભગ 15 દિવસ પહેલા કરાચીમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

કરાચી હવામાનશાસ્ત્રી કેન્દ્રના મુખ્ય હવામાનશાસ્ત્રી આમિર હૈદરના જણાવ્યા અનુસારશનિવારે આવેલા આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપ જમીનની અંદર 38 કિલોમીટર ની ઊંડાઈએ કેન્દ્રિત હતો. હૈદરે કહ્યું કે શહેરના ઓછામાં ઓછા પાંચ વિસ્તારોમાં આ આંચકા નોંધાયા છે. તેમણે કહ્યું કે આ આંચકા લાંધી વિસ્તારમાં એક ઐતિહાસિક સિસ્મિક 'ફોલ્ટ લાઇન'માંથી સિસ્મિક ઉર્જા છોડવાના કારણે અનુભવાઈ રહ્યા છે. તેમણે કહ્યું, "જો આ ઉર્જા એકસાથે છોડવામાં આવે તો મોટો ભૂકંપ આવવાની શક્યતા છેપરંતુ શનિવારે આવું કંઈ બન્યું નથી."

અમીર હૈદરે જણાવ્યું હતું કે 1 જૂનથી કરાચીમાં ઓછામાં ઓછા 21 ઓછી તીવ્રતાના આંચકા અનુભવાયા છેજેની તીવ્રતા 2.1 થી 3.6 ની વચ્ચે રહી છે. તેમણે કહ્યું, "જેમ જેમ આ ફોલ્ટ લાઇન તેની ઉર્જા છોડશેતેમ તેમ ભૂકંપની તીવ્રતા પણ ઘટશે." હૈદરે કહ્યું કે વર્ષ 2009 માં પણ આ જ 'ફોલ્ટલાઇનસક્રિય થઈ હતીજેના કારણે શહેરમાં સતત ભૂકંપ આવતા હતાપરંતુ પછીથી તે શાંત થઈ ગયા.