ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થયા પી.એમ.મોદી અને વિરાટ કોહલી

સૌથી વધુ સર્ચ કરનારા લોકોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નામનો પણ સમાવેશ થાય છે

New Update

Yahoo YIR માં ટોપ પર્સનાલિટીઝ, ચર્ચામાં રહેનારા લોકો અને ઘટનાઓ લોકોની દૈનિક સર્ચ કરવાની પ્રક્રિયા અનુસાર લેવામાં આવે છે.વર્ષ 2001માં સૌથી વધુ સર્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવ્યાં છે. પીએમ મોદી 2017થી આ પદ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ જેને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યાં છે તે છે ક્રિકેટર વિરાટ કોહલી. વિરાટ બીજા નંબરે છે. આમ તો આ ભારતની યાદી છે. જે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારબાદ સૌથી વધુ સર્ચ કરનારા લોકોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નામનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી અને હિંસાના સમયે ખૂબ ચર્ચામાં રહ્યું હતુ. મમતા બેનર્જી ત્રીજા ક્રમાંકે છે. ચોથા નંબરે સૌથી વધુ સર્ચ કરનારા લોકોમાં સિદ્ધાર્થ શુક્લાનું નામ છે. સિદ્ધાર્થના ચાહકોની સંખ્યા વધુ છે.

સપ્ટેમ્બરમાં અચાનક તેમના નિધનથી પ્રશંસકો હજી આઘાતમાં છે. જ્યારે પાંચમાં ક્રમાંકે રાહુલ ગાંધીનું નામ છે. આ વખતે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસને લઇને ચર્ચામાં રહ્યો હતો. સૌથી વધુ સર્ચ કરનારા લોકોની યાદીમાં તેણે 7માં નંબરે સ્થાન બનાવ્યું છે. યાદીમાં 'Most Searched Male Celebrities' ની પણ કેટેગરી છે. જેમાં સિદ્ધાર્થ શુક્લાનું નામ પ્રથમ નંબરે છે. તો સલમાન ખાન બીજા નંબરે છે. અલ્લુ અર્જુને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જ્યારે ચોથા સ્થાને દિવંગત અભિનેતા પુનીત રાજકુમાર છે અને પાંચમા નંબરે દિવંગત અભિનેતા દિલીપ કુમારનું નામ સામેલ છે. યાદીમાં 'Most Searched Male Celebrities' ની પણ કેટેગરી છે. જેમાં સિદ્ધાર્થ શુક્લાનું નામ પ્રથમ નંબરે છે. તો સલમાન ખાન બીજા નંબરે છે. અલ્લુ અર્જુને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. જ્યારે ચોથા સ્થાને દિવંગત અભિનેતા પુનીત રાજકુમાર છે અને પાંચમા નંબરે દિવંગત અભિનેતા દિલીપ કુમારનું નામ સામેલ છે.

Read the Next Article

હાઈકોર્ટે કંગના રનૌતની અરજી ફગાવી, ખેડૂતોના આંદોલન દરમિયાન આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

ખેડૂત આંદોલન દરમિયાન, કંગના રનૌતે એક મહિલાનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ મહિલાઓને પૈસા આપીને આંદોલનમાં લાવવામાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું

New Update
kangana
બોલીવુડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, વર્ષ 2021 માં, ભટિંડામાં કંગના રનૌત સામે માનહાનિની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. વાસ્તવમાં કંગના રનૌતે આ કેસ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. તમને જણાવી દઈએ કે ખેડૂત આંદોલન દરમિયાન, કંગના રનૌતે એક મહિલાનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ મહિલાઓને પૈસા આપીને આંદોલનમાં લાવવામાં આવી છે.

કંગના રનૌતના આ નિવેદન પછી, ભટિંડાની મહિન્દર કૌરે વર્ષ 2021 માં તેમની સામે માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. આ પછી, કંગનાએ હાઈકોર્ટને આ ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે કંગના રનૌત દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે, ઘણી જગ્યાએ તેમની સામે કાનૂની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમ કે બુલંદશહેર અને આગ્રાની કોર્ટમાં, ખેડૂતોએ કંગના રનૌત પર મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

ખેડૂત આંદોલન દરમિયાન, કંગના રનૌતે સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરીને એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં બે વૃદ્ધ મહિલાઓ બતાવવામાં આવી હતી. કંગનાએ આ વિશે લખ્યું, 'હાહાહા, આ એ જ દાદી છે જેમને ટાઇમ મેગેઝિનમાં સૌથી શક્તિશાળી ભારતીય મહિલા તરીકે વર્ણવવામાં આવી હતી. અને હવે તે 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. પાકિસ્તાની પત્રકારોએ ભારતને બદનામ કરવા માટે આંતરરાષ્ટ્રીય પીઆર હાઇજેક કર્યું છે. આપણને આપણા પોતાના લોકોની જરૂર છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે આ બાબતે બોલી શકે.'
Latest Stories