Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં આજે 1049 નવા કેસ નોધાયા, 879 દર્દીઓ થયા સાજા

કોવિડ-19 : રાજ્યમાં આજે 1049 નવા કેસ નોધાયા, 879 દર્દીઓ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં આજે કોવિડ-19ના 1049 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 5 દર્દીઑના મોત થયા છે. રાજ્યમાં આજે 879 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,82,719 પર પહોંચી છે. અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 3773 થયો છે. રાજ્યમાં હાલ 12,409 એક્ટિવ કેસ છે, જ્યારે 1,66,468 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,478 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 1049 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 166, સુરત કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 80, રાજકોટ કોર્પોરેશનમાં 79, મહેસાણામાં 53, રાજકોટ-49, બનાસકાંઠા-39, વડોદરામાં 39, પાટણમાં 36, સુરતમાં 34, ગાંધીનગર કોર્પોરેશનમાં 34, જામનગર કોર્પોરેશન-24, અમેરલી અને જામનગરમાં 20-20 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 5 દર્દીઓમાં કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ 1,સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.

રાજ્યમાં આજે કુલ 879 દર્દીઑ સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 52,960 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 65,72,903 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.11 ટકા છે.

Next Story