Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં આજે 715 નવા કેસ નોધાયા, 938 દર્દીઓ થયા સાજા

કોવિડ-19 : રાજ્યમાં આજે 715 નવા કેસ નોધાયા, 938 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં આજે કોરોના વાયરસના 715 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. જ્યારે કોરોનાના સંક્રમણના કારણે વધુ 4 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4318 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,47,228 પર પહોંચી છે.

રાજ્યમાં હાલ 9250 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,33,660 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 9189 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 715 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 146, સુરત કોર્પોરેશનમાં 104, વડોદરા કોર્પોરેશનમાં 104, રાજકોટ કોર્પોરેશનમાં 51, કચ્છ 32, વડોદરા-30, રાજકોટ-25,સુરત 23, આણંદ 17, ભરૂચ 15, મહેસાણા 14, પંચમહાલ 14, મોરબી 13, ગાંધીનગર 12, દાહોદ 11 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 4 દર્દીઓના કોરોનાને કારણે મોત થાય છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, બોટાદ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 દર્દીઑના મોત થયા

રાજ્યમાં આજે કુલ 938 દર્દી સાજા થયા હતા અને 51,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 98,10,664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.

Next Story