Connect Gujarat
Featured

કોવિડ-19 : રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 34 હજારને પાર, આજે 1026 નવા કેસ નોધાયા

કોવિડ-19 : રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 34 હજારને પાર, આજે 1026 નવા કેસ નોધાયા
X

રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 34 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1026 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 7 દર્દીના મોત થયા છે. અને રાજ્યમાં આજે 1252 દર્દીઑને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં હાલ 12127 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,17,935 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 12064 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,34,289 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4227 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે 1026 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 211, સુરત કોર્પોરેશનમાં 136, વડોદરા કોર્પોરેશનમાં 102, રાજકોટ કોર્પોરેશનમાં 90, વડોદરા 40, કચ્છ-38, રાજકોટ-38, મહેસાણા-32, સુરત-30, ગાંધીનગર-24, પંચમહાલ-23, ખેડા-19, ગાંધીનગર કોર્પોરેશન-18, બનાસકાંઠા-17 અને બરુચ-સાબરકાંઠામાં 16-16 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 7 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2 અને બોટાદમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1252 દર્દી સાજા થયા હતા અને 54, 365 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 89,99,087 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.02 ટકા છે.

Next Story