મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ નજીક થયો અકસ્માત, 3 ઇજાગ્રસ્ત

New Update
મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ નજીક થયો અકસ્માત, 3 ઇજાગ્રસ્ત

મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ પર વાહનોની ચેકીંગ કરી રહેલા પોલીસ જવાનોને મધ્યપ્રદેશ તરફથી પુરપાટ આવતી વડોદરા પાર્સીંગની ખાનગી એમ્બયુલેન્સે બેરીયર તોડી પોલીસના જવાનો ઉપર ગાડી ચડાવી દેતા ૧ કોન્સટેબલ ૧ હોમગાર્ડ અને સર્વેલન્સ ટીમનો કેમેરામેનને અડફેટે લેતા તમામને દાહોદના ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

દાહોદ જીલ્લાના કતવારા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મુકેશભાઇ દેસાઇ, હોમગાર્ડ પંકજભાઇ ભુરિયા સહિતનો પોલીસ સ્ટાફ તેમજ સર્વેલન્સ ટીમની સાથે ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહનોની ચેકિંગ કરી રહ્યા હતા. તે વખતે સાંજના સાત વાગ્યાના અરસામાં મધ્યપ્રદેશ તરફથી પુરપાટ આવેલી વડોદરા પાર્સિંગની GJ-06-AZ-0607 નંબરની ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે કોઇ કારણોસર પોલીસને અવગણીને સૌ પ્રથમ બેરિયર તોડી નાખ્તા અને. તેજ વખતે તેની એડફેટમાં આવેલા કોન્સ્ટેબલ મુકેશભાઇ,હોમગાર્ડ પંકજભાઇ અને સર્વેલન્સ ટીમના કેમેરામેન પ્રભાતભાઇ પગી નાઓને અડફેટમાં લઇને ફંગોળ્યા હતાં. એમ્બયુલેન્સ ચાલક ભાગી છુટવાની લ્હાયમાં સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં એમ્બ્યુલન્સ પણ ત્રણ થી ચાર વાર પલટી ખાઇ ગઇ હતી.

અને આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર વડોદરાના કારેલીબાગનો પીયુષ સોલંકી અને ચાલક રણજીતસિંહ ગોહિલ ઘાયલ થયા હતાં. અકસ્માતની આ ઘટનાથી પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. એમ્બ્યુલન્સમાં ઘાયલ થયેલા યુવાનોને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યારે ઘાયલ કર્મચારીઓને શહેરના ખાનગી દવાખાને ખસેડાયા હતાં. કોન્સ્ટેબલ મુકેશભાઇના બંને પગ ભાંગી ગયા છે જ્યારે પંકજભાઇ અને પ્રભાતભાઇનો પણ એક પગ ભાંગી જવા સાથે શરીરે ઇજાઓ થઇ હતી. આ બનાવ અંગે પીએસઆઇ આર.આર રબારીએ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. GJ-06-AZ-0607નંબરની ખાનગી એમ્બ્યુલન્સમાં ચાલક રણજીતસિંહ ગોહિલ અને તેની સાથે પીયુષ સોલંકી એસ,એસ,જી હોસ્પિટલમાંથી મૃતદેહ લઇને મધ્ય પ્રદેશ તરફ ગયા હતાં. અને ત્યાંથી પરત આવતી વખતે તેમણે આ અકસ્માત સર્જયો હતો. બંને દારૂ પીધેલી અવસ્થામાં હતાં કે પછી મધ્ય પ્રદેશ તરફથી દારૂ લાવી રહ્યા હોવાથી તેમણે આ અકસ્માત કર્યો તે પોલીસની તપાસમાં જ સામે આવે તેમ છે

#Connect Gujarat #News #Beyond Just News #ક્રાઇમ
Latest Stories
Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશ...

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.