નવસારી : 100થી વધુ સાયકલીસ્ટોએ 28 કીમી સુધી ચલાવી સાયકલ, જાણો તેમનો હેતું

New Update
નવસારી : 100થી વધુ સાયકલીસ્ટોએ 28 કીમી સુધી ચલાવી સાયકલ, જાણો તેમનો હેતું

સમગ્ર વિશ્વમાં વાહનોની સંખ્યામાં વધારો થવાની સાથે

ધુમાડાઓના કારણે થતાં પ્રદુષણની માત્રા વધી છે ત્યારે નવસારીમાં લોકો સાયકલનો

વધુમાં વધુ ઉપયોગ કરે તેવા હેતુથી સાયકલ રેસનું આયોજન કરાયું હતું. 

નવસારી શહેરમાં પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે

નવસારી સાયકલીસ્ટ ગૃપ અને જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે એક સાઇકલ રેસનું આયોજન

કરવામાં આવ્યું.  જેમાં નવસારીના ૧૦૦થી વધુ સાયકલીસ્ટએ ભાગ લીધો હતો. રેસના આયોજનનો મુખ્ય હેતુ

લોકોને સાયકલનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે જાગૃત કરવાનો હતો. સાયકલના વપરાશથી

માાણસ પોતે તંદુરસ્ત પણ રહી શકે છે અને વાહનોનો વપરાશ ઘટતાં પ્રદુષણ ઘટાડવામાં પણ

મદદ મળી શકે તેમ છે. સાયકલ રેસમાં 10 વર્ષના બાળકોથી લઇ 80 વર્ષ સુધીના વયસ્કોએ ભાગ લઇ જનજાગૃતિના પ્રયાસમાં

પોતાનું યોગદાન આપ્યું હતું. 

૨૮ કિલોમીટરની આ રેસ પૂર્ણ કરનાર સ્પર્ધકોને ઇનામો અને

ટ્રોફીઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Read the Next Article

ભરૂચ : દેવપોઢી અગિયારસનો ભાડભૂત માછીમાર સમાજમાં અનેરો મહિમા, નર્મદા મૈયાને દુગ્ધાભિષેક-ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો...

ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છે, ત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

New Update
Devpodhi Ekadashi
  • દેવપોઢી અગિયારસનો માછીમાર સમાજમાં અનેરો મહિમા

  • માછીમાર સમાજ દ્વારા નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરાય

  • દરિયા દેવ-નર્મદા નદીના સંગમ સ્થાને દુગ્ધાભિષેક કરાયો

  • હર હર નર્મદેના નાદથી ભાડભૂતનું વાતાવરણ ગુંજી ઉઠ્યું

  • મોટી સંખ્યામાં માછી સમાજના આગેવાનો-સભ્યોની હાજરી

ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દેવપોઢી અગિયારસના પાવન દિવસે માછીમાર સમાજે નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરી દુગ્ધાભિષેક સાથે માછીમારીનો પ્રારંભ કર્યો હતો.

ભરૂચ શહેર તથા જિલ્લામાં દેવશયની એકાદશીના પાવન દિવસે માછીમાર સમાજે પરંપરાગત રીતે નર્મદા નદીમાં ચુંદડી અર્પણ કરી માછીમારીનો પ્રારંભ કર્યો હતો. આ સાથે જ નર્મદા મૈયાના એક કિનારાથી બીજા કિનારા સુધી દુગ્ધાભિષેક કરી માછીમારોએ નદી માતાને નમન કર્યું હતું. ભરૂચ જિલ્લાના ભાડભૂતથી લગભગ 12 કિમી દૂર જ્યાં દરિયા અને નદીના પાણીનું સંગમ થાય છે અને ભાંભરું પાણી બને છેત્યાં આ વખતે હીંલસા માછલી વિશાળ પ્રમાણમાં જોવા મળી છે.

દરિયામાંથી હીંલસા માછલી પ્રજનન માટે ભાંભરા પાણીમાં આવે છેઅને ચાલુ વર્ષે વરસાદ વહેલો પડતાં માછીમારો માટે આ પરિસ્થિતિ અત્યંત અનુકૂળ બની છે. આ વર્ષે 40 વર્ષ બાદ લાખો રૂપિયાની વધારાની હીંલસા માછલી પકડાઈ છેજેનાથી માછીમારોમાં ખુશીનો માહોલ છવાયો છે. દેવશયની એકાદશીએ લગભગ 1500થી વધુ બોટમાં માછીમારો દરિયામાં ઉતરી માછીમારી કરવા પ્રસ્થાન થયા હતા.