રાજસ્થાન સરકારનું એલાન,જે ગાય પાળશે એને કરાશે સન્માનીત
BY Connect Gujarat16 Jan 2019 1:39 PM GMT
X
Connect Gujarat16 Jan 2019 1:39 PM GMT
જે લોકો શેરીઓમાં ભટકતી ગાય ને અપનાવી લેશે, તેને રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસે સન્માનિત કરશેજિલ્લા કલેકટરને આપવામાં આવેલા આદેશમાં આ બાબત કહેવામાં આવી છે.
ગોપાલના નિયામકશ્રી, જે ગાયના કલ્યાણને સંભાળે છે, તેમણે કહ્યું છે કે "જે સખાવતી અને સંવેદનશીલ નાગરિકોએ શેરી ગાય અપનાવી છે, તેમને સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિવસે જિલ્લા કલેકટર દ્વારા સન્માનિત કરવામાં આવશે. . " કૉંગ્રેસ સરકાર સત્તામાં આવ્યા પછી 28 ડિસેમ્બરે ઓર્ડર આપવામાં આવ્યો છે. ત્યારે એક સવાલ એ થાય છે કે હવે કોંગ્રેસ પણ હિંદુત્વ નો મુદ્દો લઈ આગળ વધી રહી હોય એમ લાગે છે,કે પછી આગામી લોકસભા ચુટણી ને લઈ આ કોઈ રાજનીતિક સ્ટંટ...એ જોવું રહ્યું.
Next Story