રાજકોટ : 5 લાખની લાંચ લેનાર DGFTના અધિકારીએ કર્યો આપઘાત, છઠ્ઠા માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
રાજકોટમાં લાંચ કેસમાં ઝડપાયેલા DGFTના અધિકારીએ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે.
BY Connect Gujarat Desk25 March 2023 7:15 AM GMT
X
Connect Gujarat Desk25 March 2023 7:15 AM GMT
રાજકોટમાં લાંચ કેસમાં ઝડપાયેલા DGFTના અધિકારીએ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. અધિકારીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. મહત્વનું છે કે, રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇએ ઓફિસની બિલ્ડિંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો છે. હાલ તેમના મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇ રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.
Next Story