RBI દ્વારા ચાલુ ખાતા પરનો પ્રતિબંધ હટાવાયો 

New Update
જન ધન હેઠળના ખાતાઓની ઉપાડ મર્યાદા ઘટાડીને રૂ 10000 કરવામાં આવી

આરબીઆઇ દ્વારા સોમવારના રોજ બેંકમાં ચાલુ ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત ચાલુ ખાતા પરની ઉપાડ મર્યાદા પર લગાવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

તેમજ કેશ ક્રેડિટ એકાઉન્ટ અને ઓવરડ્રાફટ એકાઉન્ટ્સ પરની મર્યાદા પણ તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવી છે.

વધુમાં રિઝર્વ બેન્કની એક સૂચના પ્રમાણે એટીએમ પરની ઉપાડની મર્યાદા પણ બુધવારથી હટાવવામાં આવશે પરંતુ બચત ખાતાઓ પરનો પ્રતિબંધ યથાવત રહેશે તેમ જણાવ્યુ હતુ.