ટીમમાં પસંદગી ન થતાં રાહુલ ટેવતિયા થઈ ગયો ભાવુક , કર્યું આ ટ્વીટ.
BCCIએ આયર્લેન્ડ સામેની બે મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાના ખભા પર રહેશે.
BCCIએ આયર્લેન્ડ સામેની બે મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાના ખભા પર રહેશે. 17 સભ્યોની ટીમ યુવા ખેલાડીઓથી ભરેલી છે. જ્યારે રાહુલ ત્રિપાઠી પ્રથમ વખત ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે તો સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવની પણ વાપસી થઈ છે. જો કે કેટલાક એવા ખેલાડીઓ છે જેમને આ શ્રેણીમાં તક મળી નથી. આ ખેલાડીઓમાં રાહુલ ટેવતિયાનું નામ પણ સામેલ છે જેમણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં શાનદાર રમત બતાવી હતી. તેવટિયા ગુજરાત ટાઇટન્સ (GT) નો એક ભાગ છે જે IPL ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો હતો. હવે ટેવતિયા નિરાશ છે કે તેની ભારતીય ટીમમાં પસંદગી ન થઈ. તેવટિયાએ ટ્વીટર પર લખ્યું, 'અપેક્ષાઓને ઠેસ પહોંચી છે.
ટેવતિયાએ IPL 2022માં ગુજરાત ટાઇટન્સ માટે ફિનિશરની ભૂમિકા ભજવી હતી. તેવટિયાએ IPLની 15મી સિઝનમાં 16 મેચમાં 147.62ની સ્ટ્રાઇક સાથે કુલ 217 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ સામેની મેચમાં રાહુલ ટેવતિયાએ મેચના છેલ્લા બે બોલમાં સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.