Connect Gujarat
સ્પોર્ટ્સ

ટિમ ઇન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના પોઝિટિવ; ચહલ અને ગૌતમ કોરોના સંક્રમિત

ટિમ ઇન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના પોઝિટિવ; ચહલ અને ગૌતમ કોરોના સંક્રમિત
X

ટિમ ઇન્ડિયાના વધુ બે ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા છે. સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ બંને ખેલાડીઓ શ્રીલંકાના પ્રવાસ પર ગયેલી ટિમ ઇન્ડિયાનો ભાગ છે. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ ઓલ્રૌંદાર કૃણાલ પંડયાના સંપર્કમાં આવ્યા હતા. કૃણાલ 27 જુલાઈએ કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો.

ચહલ અને ગૌતમ ઉપરાંત હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, મનીષ પાંડે અને ઇશાન કિશન પણ કૃણાલના સંપર્કમાં આવ્યા હતા. જોકે તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ તમામ ખેલાડીઓ શ્રીલંકા સામેની બીજી અને ત્રીજી ટી-20માં ટિમ ઇન્ડિયાનો ભાગ નહોતા.

કૃણાલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ મુલતવી રાખવામા આવી હતી. આ મેચ 27 જુલાઈએ યોજાવાની હતી, જે પાછળથી 28 જુલાઈએ રમાઈ હતી. કોલંબોમા રમાયેલી શ્રીણીની બીજી ટી-20માં ટિમ ઈન્ડિયા 4 વિકેટથી હારી ગઈ હતી. પ્રથમ બેટીંગ કરતાં ભારતે 132-5નો સ્કોર બનાવ્યો હતો . બદલામાં શ્રીલંકાએ લક્ષ્યાંક 19.4 ઓવરમાં 6 વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો.

Next Story