વિરાટ કોહલીએ આ વ્યક્તિના કહેવા પર કેપ્ટનશીપ છોડી ? વાંચો કોણ છે એ દિગ્ગજ
BY Connect Gujarat23 Sep 2021 8:54 AM GMT
X
Connect Gujarat23 Sep 2021 8:54 AM GMT
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને લઇને મોટો ખુલાસો થયો છે. તેણે હાલમાં જ ટી 20ની કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો છે. આવું તે શા માટે કરી રહ્યો છે તેના પરથી પરદો ઉઠી ગયો છે. કોહલીના ખરાબ પફોર્મન્સના કારણે લોકોની ટીકાનો પણ સામનો કરવો પડ્યો છે. એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને કપ્તાની છોડવા માટે કહ્યું. રવિ શાસ્ત્રીએ વિરાટને કપ્તાની છોડી બેટિંગ પર ધ્યાન આપવા માટે કહ્યું હતું.
આ સલાહ એટલા માટે આપવામાં આવી હતી કે વિરાટ દુનિયાનો ટોપ બેટ્સમેન બન્યો રહે.BCCIના એક અધિકારીએ કહ્યું, કોહલીની કપ્તાની વિશે વાત ત્યારે શરૂ થઇ જ્યારે ભારતે પોતાના નિયમિત કેપ્ટન વગર ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી હતી. આ સંકેત આપે છે કે કોહલીને 2023 પહેલા કોઇ પણ સમયે વન ડે કપ્તાની છોડવી પડી શકે છે.
Next Story