Connect Gujarat
ગુજરાત

સુરત: ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાતા એસ.ટી. દ્વારા શરૂ કરાઇ વિશેષ બસ

સુરત: ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાતા એસ.ટી. દ્વારા શરૂ કરાઇ વિશેષ બસ
X

મુંબઈ અને વલસાડમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. તો કેટલીક ટ્રેનો મોડી ચાલી રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલકીનો સામનો કરવો પડી રહ્યો છે .તો બીજી તરફ સુરતમાં એસ.ટી. વિભાગ દ્વારા બોરીવલીની વિશેષ બસ સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મોટા ભાગના રેલવે સ્ટેશનના ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. ગત રોજ ૭ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હતી. જ્યારે ૯ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. અને કેટલીક ટ્રેનોને ટુંકાવી દેવામાં આવી છે. મુંબઈથી અમદાવાદ સુધીના રેલવે વ્યવહારને અસર પહોંચી છે. વલસાડ, નવસારી, ભરૂચ અને સુરત રેલવે સ્ટેશન પર યાત્રીઓ અટવાઈ ગયા છે.

જોકે, આ માટે રેલવે વિભાગ દ્વારા ટ્રેનો અલગ અલગ સ્ટેશનો પર ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. અને મુસાફરોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને એમની સલામતી જળવાય તે હેતુથી આરપીએફને મેદાને ઉતારવામાં આવી છે.

મુંબઈમાં ભારે વરસાદને પગલે નવસારી, વલસાડ અને સુરતમાં ટ્રેનોને થોભાવી દેવાઈ છે. ત્યારે આવા સંજોગોમાં રેલવે માર્ગે મુંબઈ તરફ જતા મુસાફરોને રસ્તા માર્ગે મુંબઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમની સહાયતા માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી તંત્ર દ્વારા સુરત અને વલસાડ રેલવે સ્ટેશનથી બોરીવલીની વિશેષ બસ સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.

Next Story