સુરત: ગુજરાતમાં દલિતો ઉપર થઈ રહેલા અત્યાચારને મુદ્દે કલેક્ટર આવેદન પત્ર આપી કરવામાં આવી કડક કાર્યવાહી માંગ

New Update
સુરત: ગુજરાતમાં દલિતો ઉપર થઈ રહેલા અત્યાચારને મુદ્દે કલેક્ટર આવેદન પત્ર આપી કરવામાં આવી કડક કાર્યવાહી માંગ

કડીમા થયેલા દલિત અત્યાચાર ને લઇ સુરતમાં કલેકટરને આવેદન અપાયું

ગુજરાતમાં દિનપ્રતિદિન દલિત પર થઇ રહેલા અત્યાચાર ને લઇ એસએસસી સમાજમાં ભારે રોષ

સુરત કલેકટર ને આવેદન સોપી એસટી પર અત્યાચાર કરનાર પર કડક કાર્યવાહીની માંગ કરી

દલિત પર થતા અત્યાચાર ન રોખવામાં આવે સુરત દલિત સમાજના આગેવાનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી

સુરત ગુજરાતમાં દિન-પ્રતિદિન દલિતો ઉપર થઇ રહેલા અત્યાચાર ને લઇ સુરત દલિત સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી અત્યાચાર કરનાર ગુરુ કડક કાર્યવાહી માંગ કરવામાં આવી મહેસાણાના કડી લ્હોરા ગામમાં દલિત સમાજ દ્વારા ઘોડી પર વરઘોડો કાઢતા ગ્રામજનો દ્વારા દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઇ સુરત દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં દિનપ્રતિદિન વધી રહેલા દલિત અત્યાચાર ને લઈ આજરોજ દલિત સમાજ દ્વારા સુરત કલેકટર ને આવેદનપત્ર પાઠવી અત્યાચાર કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી થોડા દિવસ અગાઉ મહેસાણાના કડી લ્હોરામાં દલિત યુવાને ઘોડી પર બેસી વરઘોડો કરતા તેનો વિરોધ કરી ગામ નો બહિષ્કાર કરવામાં આવ્યો હતો ગામના સરપંચ દ્વારા દલિતોને ગામમાં ખાણીપીણીની ચીજ-વસ્તુ સહિત અનેક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

એને લઇ સમગ્ર ગુજરાતમાં દલિત સમાજમાં આક્રોશ ફાટી નીકળતા આજરોજ સુરત દલિત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અત્યાચાર ગુજારનાર ઈસમો ઉપર કડક કાર્યવાહીની માંગ કરી હતી જો આવનારા સમયમાં આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ન અટકે ઉગ્ર આંદોલન કરવાની દલિત સમાજ દ્વારા ચીમકી આપવામાં આવી હતી.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Latest Stories