Connect Gujarat
Featured

સુરત : ગુલામનબી આઝાદ સહિતના નેતાઓ મરહુમ અહમદ પટેલને અર્પણ કરશે શ્રધ્ધાસુમન

સુરત : ગુલામનબી આઝાદ સહિતના નેતાઓ મરહુમ અહમદ પટેલને અર્પણ કરશે શ્રધ્ધાસુમન
X

રાજયસભાના સાંસદ અને કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર મરહુમ અહમદ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માટે ગુલામનબી આઝાદ સહિતના નેતાઓ પિરામણ ગામે આવ્યાં હતાં. આ પહેલાં નેતાઓએ સુરત એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું.

રાજયસભાના સાંસદ મરહુમ અહમદ પટેલની ગુરૂવારના રોજ તેમના વતન પીરામણમાં દફનવિધિ કરવામાં આવી છે. દફનવિધિ બાદ હવે દિગ્ગજ નેતાઓ તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માટે પિરામણ ગામમાં આવી રહયાં છે. શનિવારના રોજ કોંગ્રેસના વરીષ્ઠ આગેવાનો ગુલામનબી આઝાદ, ભુપેન્દ્રસિંહ હુડ્ડા અને આનંદ શર્મા પિરામણ ગામમાં આવી પહોંચ્યાં હતાં. આ પહેલાં નેતાઓ વિમાન મારફતે સુરત એરપોર્ટ ખાતે આવ્યાં હતાં. સુરત એરપોર્ટથી વીઆઇપીઓનો કાફલો પિરામણ આવવા રવાના થયો હતો. વીઆઇપીનો કાફલો સુરત એરપોર્ટથી પિરામણ ગામ તરફ આવી રહયો હતો ત્યારે તેમના કાફલામાં અન્ય કાર ઘુસી જતાં સુરક્ષાકર્મિઓ પણ મુંઝવણમાં મુકાય ગયાં હતાં.

Next Story