Connect Gujarat
Featured

સુરત : ત્રિવેણી સોસાયટીમાં આંટા ફેરા કરતાં રીકશાચાલકને યુવાને રોકયો, જુઓ ઉશ્કેરાયેલા રીકશાચાલકે શું કર્યું

સુરત : ત્રિવેણી સોસાયટીમાં આંટા ફેરા કરતાં રીકશાચાલકને યુવાને રોકયો, જુઓ ઉશ્કેરાયેલા રીકશાચાલકે શું કર્યું
X

સુરતની ત્રિવેણી સોસાયટીમાં આટાફેરા મારી રહેલાં રીકશાચાલકે રોકવાનું સોસાયટીના રહીશને ભારે પડી ગયું હતું. સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા રીકશાચાલકે યુવાનની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી નાંખી છે.

સુરત શહેરમાં વેડરોડ વિસ્તારમાં ૨૪ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો સુરતના વેડરોડ પર ત્રિવેણી સોસાયટી આવેલી છે. ત્રિવેણી સોસાયટીમાં સંજય રામદાસ કોષ્ટી પોતાના ૨૪ વર્ષીય પુત્ર પરેશ અને પત્ની સાથે રહે છે. ગતરોજ બપોરે તેઓનો પુત્ર પરેશ પોતાના ઘર પાસે ઉભો હતો તે વેળાએ તે વિસ્તારમાં જ રહેતો નવીન ઉર્ફે જાડીયો રાજેંદ્રભાઇ સીધવન રીક્ષા લઈને આટા ફેરા મારતો હતો. જેથી પરેશે આરોપીને કેમ અહી આટા ફેર મારે છે ? અમારી સામે શું જુએ છે ? મને મારવાનો છે ? તેમ કહેતા બંને વચ્ચે ઝગડો થયો હતો.

જેમાં ઉશ્કેરાયેલા નવીને પરેશને પગ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પરેશનું મોત નીપજ્યું હતું. હત્યાની આ ઘટનાને લઈને આસપાસના લોકો એકત્ર થઇ ગયાં હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આરોપી નવીન સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. હત્યાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

Next Story