Connect Gujarat
સુરત 

સુરત: રાહુલ ગાંધીના માનહાની કેસને લઈને મોટા સમચાર, માફી માંગવા કોંગ્રેસનાં નેતાઓએ સમજાવ્યા પણ ન માન્યા !

રાહુલ ગાંધીના માનહાનિ કસે બાબતે નવોજ ખુલાસો થયો છે. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈનું આ મામલે નિવેદન સામે આવ્યું છે.

X

રાહુલ ગાંધીના માનહાની કેસને લઈને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઇનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યુ હતું કે કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને ભાજપની માફી માંગવાનની સલાહ આપી હતી પરંતુ રાહુલ ગાંધી માન્યા ન હતા

રાહુલ ગાંધીના માનહાનિ કસે બાબતે નવોજ ખુલાસો થયો છે. સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈનું આ મામલે નિવેદન સામે આવ્યું છે. હસમુખદેસાઇએ જણાવ્યુ હતું કે આ સમગ્ર મામલે કોંગ્રેસનાં કેટલાક નેતાઓએ ભાજપની માફી માંગવા રાહુલ ગાંધીને જણાવ્યુ હતું જો કે તેઓએ આ બાબતનો ઇનકાર કર્યો હતો. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધી સુરત એરપોર્ટ ખાતે આવ્યા ત્યારે અને કોર્ટમાં હજાર થયા તે પૂર્વે આ બાબતે ચર્ચા કરી હતી જો કે રાહુલ ગાંધી તેમના નિર્ણય પર અડગ રહ્યા હતા

Next Story