Connect Gujarat
ટ્રાવેલ 

કેદારનાથ યાત્રા: 1 મેના રોજ હેલી ટિકિટ બુકિંગ માટે ખુલશે પોર્ટલ, 7 મે પછીની મુસાફરી માટે કરી શકશો બુકિંગ

ચારધામ યાત્રામાં કેદારનાથ હેલી સેવા માટે ટિકિટ બુક કરવા માટે IRCTC પોર્ટલ 1 મેના રોજ ખુલશે.

કેદારનાથ યાત્રા: 1 મેના રોજ હેલી ટિકિટ બુકિંગ માટે ખુલશે પોર્ટલ, 7 મે પછીની મુસાફરી માટે કરી શકશો બુકિંગ
X

ચારધામ યાત્રામાં કેદારનાથ હેલી સેવા માટે ટિકિટ બુક કરવા માટે IRCTC પોર્ટલ 1 મેના રોજ ખુલશે. યાત્રાળુઓ 7 મે પછીની યાત્રા માટે ટિકિટ બુક કરાવી શકશે. કેદારનાથ હેલી ટિકિટનું બુકિંગ આ વખતે IRCTC દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સિરસી, ફાટા, ગુપ્તકાશીથી ઓપરેટ થનારી હેલી સર્વિસ માટે ટિકિટનું બુકિંગ 7 મે સુધી પૂર્ણ થઈ ગયું છે. 8 એપ્રિલના રોજ, IRCTC એ 25 થી 30 એપ્રિલ સુધી બુકિંગ સ્લોટ ખોલ્યો હતો. જેમાં એક જ દિવસમાં તમામ ટિકિટ બુક થઈ ગઈ હતી. આ પછી, બીજો બુકિંગ સ્લોટ 18 એપ્રિલે ખોલવામાં આવ્યો હતો. જેમાં 1 મે થી 7 મે સુધીની ટિકિટો પણ એક જ દિવસમાં વેચાઈ ગઈ હતી.

Next Story