વડોદરા : હવે, 31stની રાત્રે યુવકોની સાથે યુવતીઓનું પણ થશે બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ

New Update
વડોદરા : હવે, 31stની રાત્રે યુવકોની સાથે યુવતીઓનું પણ થશે બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ

વર્ષ 2019ને વિદાય આપીને નવા વર્ષ 2020ને આવકારવા

માટે વડોદરાવાસીઓ થનગની રહ્યા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા

જણવાઇ રહે તે માટે પોલીસ દ્વારા શહેર તેમજ જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં

આવ્યો છે. શહેરમાં ઠેર ઠેર ડાન્સ અને ડિનર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી લોકોની ભીડ રહેતી હોવાથી પોલીસ

કમિશનર કેશરીસિંહ ભાઠીના માર્ગદર્શન તેમજ સૂચના હેઠળ આ વખતે યુવકોની સાથે સાથે

મહિલાઓનું પણ બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નવા વર્ષને

આવકારવા માટે યુવા પેઢી દારૂ અને ડ્રગ્સ જેવા માદક દ્રવ્યોનું સેવન કરતા હોય છે.

શહેરમાં મધરાત સુધી વિવિધ 10 જેટલા પોલીસ પોઇન્ટ પર 110 બ્રેથ એનેલાઇઝરથી લોકોની

ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 11 ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે.

હેવી ટ્રાફિક ધરાવતા શહેરના 70 પોઇન્ટ પર ટ્રાફિક પોલીસના 273 પોલીસ કર્મચારીઓને

તહેનાત કરાશે. ઉપરાંત મેદાનો અને આવવારું સ્થળોએ મલ્ટીપર્ફઝ લાઈટ્સનો ઉપયોગ

કરવામાં આવશે. જો કોઈ યુવતી કે મહિલા ભૂલી પડી હશે, તો

પોલીસ તેને ઘર સુધી મૂકી આવશે. એટલું જ નહીં SOGની ટીમ

એન્ટી ડ્રગ કીટથી તપાસ કરશે. નવા વર્ષને આવકારવા માટે કરવામાં આવતી ઉજવણી

શાંતિપૂર્વક માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ સજ્જ છે.

Read the Next Article

દાહોદ : ભાજપના નેતાની સ્કૂલમાં જ બાળકોના વાલીઓ લૂંટાયા, RTEના નિયમો વિરુદ્ધ 80 વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલે RTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે

New Update
  • દાહોદની સ્કૂલમાંRTE નિયમના ધજાગરા

  • ભાજપ નેતાની સ્કૂલે જ તોડ્યો નિયમ

  • નગરપાલિકાના પ્રમુખની સ્કૂલે તોડ્યો નિયમ  

  • 80 વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી સ્કૂલ ફી

  • PM મોદી અને કલેકટરને કરાઈ ફરિયાદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં ભાજપ નેતાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલેRTEના નિયમોનું  ઉલ્લંઘન કરીને 80 વિદ્યાર્થીઓ પાસે ફી ઉઘરાવી હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે,હાલ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયાની રત્નદીપ સ્કૂલે સરકારનાRTE નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરીને તમામ હદ વટાવી દીધી છે. આ સ્કૂલેRTEના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી હોવાનું સામે આવ્યું છે. આવા એકબે નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ છે. ખુદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ એ વાત સ્વીકારી છે કે આ સ્કૂલેRTE એક્ટનો ભંગ કર્યો છે.

આ સ્કૂલ બીજા કોઇની નહીંપણ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી રાજ કરનારા ભાજપના નેતાની છે. રત્નદીપ સ્કૂલના ટ્રસ્ટી ધર્મેશ કલાલ ભાજપના નેતા છે અને દેવગઢબારિયા નગરપાલિકાના પ્રમુખ છે.

એક વિદ્યાર્થીનેRTE એક્ટ હેઠળ ધોરણ 1થી રત્નદીપ સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન મળ્યું હતુંપરંતુ સ્કૂલે તેની પાસેથી ફી માંગી હતી. ફી ન ભરતા સ્કૂલે તેના વાલીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યાં સુધી તમારી બાકીની રકમ નહીં ભરો ત્યાં સુધી તમારા દીકરાને સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે. ત્યાર પછી વિદ્યાર્થીને ઘરે બેસીને ભણવાની ફરજ પડી હતી. તેના વાલીએ 10મી જુલાઇએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજુઆત કરી હતી.

આ પત્રમાં વાલીએ દાવો કર્યો કેRTE એક્ટ હેઠળ એડમિશન લીધું હોવા છતાં સ્કૂલે પહેલા ધોરણથી જ ફી માગવાનું ચાલુ કર્યું હતુંજેના કારણે અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ સમયે કુલ 18 હજાર રૂપિયા ફી ભરી છે. તેમ છતાં હજુ પણ સ્કૂલ તરફથી ફી માંગવામાં આવે છે.

ગેરકાયદે ફી વસૂલતી આ સ્કૂલ માત્ર આ એક જ વિદ્યાર્થી નહીંપણ 80થી વધુ વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારની ફી વસૂલ કરી છે.ઘટના પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે,જોકે હવે જોવું એ રહ્યું કે ભાજપના નેતાની  સ્કૂલ છે તો સરકારી તંત્ર તપાસ બાદ શું કાર્યવાહી કરે છે.