Connect Gujarat
દુનિયા

પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને કર્યું સંબોધિત; નામ લીધા વગર પાકિસ્તાન અને ચીન પર સાધ્યું નિશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેણે નામ લીધા વગર પાકિસ્તાન અને ચીન પર હુમલો કર્યો.

પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને કર્યું સંબોધિત; નામ લીધા વગર પાકિસ્તાન અને ચીન પર સાધ્યું નિશાન
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેણે નામ લીધા વગર પાકિસ્તાન અને ચીન પર હુમલો કર્યો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ આતંકવાદ, અફઘાનિસ્તાન, કોરોના વાયરસની રસી જેવા ઘણા મુદ્દાઓ પર વિશ્વને સંબોધિત કર્યું. આ સાથે પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સુધારાની પણ વકાલત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે જે દેશો આતંકવાદને રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે. પીએમે કહ્યું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ અને આતંકવાદી હુમલા ફેલાવવા માટે ન થાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. આપણે સાવચેત રહેવું જોઈએ કે ત્યાંની નાજુક પરિસ્થિતિઓમાં કોઈ પણ દેશ તેનો સાધન તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ ન કરે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ સમયે અફઘાનિસ્તાનના લોકોને ત્યાંની મહિલાઓ અને બાળકો, ત્યાંના લઘુમતીઓને મદદની જરૂર છે અને આમાં આપણે આપણી જવાબદારી નિભાવવાની છે.

રસી અંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતે વિશ્વની પ્રથમ ડીએનએ રસી વિકસાવી છે, જે 12 વર્ષથી વધુ ઉંમરના દરેકને આપી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે અમે સમગ્ર વિશ્વમાં રસી પૂરી પાડી રહ્યા છીએ. પીએમએ કહ્યું, "હું આજે વિશ્વભરના રસી ઉત્પાદકોને ભારતમાં આવવા અને રસી બનાવવા માટે આમંત્રણ આપું છું."

પીએમ મોદીએ કહ્યું, "આપણા મહાસાગરો પણ આપણો સામાન્ય વારસો છે. તેથી, આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે મહાસાગરના સંસાધનોનો ઉપયોગ કરીએ, તેનો દુરુપયોગ ન કરીએ. આપણા દરિયાઓ આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી પણ છે. આપણે તેમને વિસ્તરણ અને બાકાતની દોડથી બચાવવું પડશે.

Next Story