Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ નર્મદામાં ગરકાવ થયેલા યુવાનનો મળ્યો મૃતદેહ, પરિવારનું આક્રંદ

અંકલેશ્વરઃ નર્મદામાં ગરકાવ થયેલા યુવાનનો મળ્યો મૃતદેહ, પરિવારનું આક્રંદ
X

  • ફળીયામાં થયેલ મોતમાં બોરભાઠા બેટ ખાતેના સ્મશાને ગયેલ યુવાન નદીમાં નહાવા જતા ડૂબ્યો હતો.
  • અંકલેશ્વર ફાયર લાશ્કરો દ્વારા શોધખોળ બાદ લાસ મળતા પરિવારમાં ગમગીની

અંકલેશ્વર ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ માં રહેતા ૩૫ વર્ષીય ચિરાગ રમણભાઇ શાહ તા.૨૧મીના રોજ તેમના જ ફળીયામાં મોત થયું હોય મૃતકની અંતિમવિધિમાં બોરભાઠા ખાતેના સ્મશાને ગયા હતા. દરમિયાન સ્મશાનેથી નર્મદા નદીમાં નહાવા જતા તેમનો પગ લપસતા તેઓ નદીમાં ડુબવા લાગ્યા હતા. અનેક પ્રયત્નો છતાં ચિરાગ શાહ પાણીની બહાર નિકળવામાં સફળ ન થતા અંતે નર્મદામાં ડૂબી જતા લાપતા બન્યા હતા.

આ ધટનાની જાણ તેમની સાથે સ્મશાને અંતિમવિધિમાં ભાગ લેવા ગયેલ મિત્રોને થતાં તેમણે પણ નર્મદાતટે તેમજ પાણીમાં ચિરાગ શાહની શોધ આરંભી હતી. પણ ચિરાગનો કોઇ પત્તો ન લાગતા આખરે ઘટનાની જાણ ચિરાગના ઘરે તેમજ અંકલેશ્વર ફાયર વિભાગને કરતા ફાયર લાશ્કરોએ નહાવા પડતા લાપતા બનેલ યુવાન ચિરાગ શાહની શોધ આંરભી હતી. અંકલેશ્વર ફાયર લાશ્કરોની ભારે મહેનત બાદ આખરે તા.૨૩મીના રોજ લાપતા બનેલ ચિરાગ શાહને શોધવામાં સફળતા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ૩૫ વર્ષીય જુવાંજોધ આશાસ્પદ ઘર્ના ચિરાગ સમા ચિરાગની લાસ માળતાજ તેના પરિવારજનોના માથે પહાડ તુટી પડ્યો હતો. તેમના આક્રંદે હાજર સૌની આંખો ભીની કરી હતી. ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસે મૃતક ચિરાગની લાસને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી.

Next Story