અંકલેશ્વરનાં ગડખોલ ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ

New Update
અંકલેશ્વરનાં ગડખોલ ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ

અંકલેશ્વર તાલુકાનાં ગડખોલ ગામ ખાતે સર્વ શિક્ષા અભિયાન દ્વારા રૂપિયા 85 લાખનાં ખર્ચે નવનિર્મિત પ્રાથમિક શાળાનાં મકાનનું લોકાર્પણ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ભરૂચ નર્મદા મનસુખભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, પ્રાંત અધિકારી રમેશ ભાભોરે સહિત ગામના આગેવાનો અને શાળાનો શિક્ષક ગણ સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે લાલા રિબીન કાપીને અને તક્તિનું અનાવરણ કરી શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યુ હતુ.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories