ઈદના તહેવારને અનુલક્ષી કાયદેસરના પશુ ન પકડવા મુલીમ અગ્રણીઓનું કલેકટરને આવેદન

ઈદના તહેવારને અનુલક્ષી કાયદેસરના પશુ ન પકડવા મુલીમ અગ્રણીઓનું કલેકટરને આવેદન
New Update

કહેવાતા ગૌ-રક્ષકો દ્વારા કુરબાની અર્થે લવાતા કાયદેસરના પશુઓની ટ્રક રોકી કાયદો હાથમાં લેવાતો હોવાની ફરિયાદ

આગામી બકરી ઈદ નિમિત્તે કાયદેસરના પશુઓને ન પકડવા બાબતે રાજ્યના ગૃહમંત્રીને સંબોધી મુસ્લીમ સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજના લોકો અને અગ્રણીઓએ આપેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ આગામી ૨૨ ઓગસ્ટ ના રોજ બકરી ઈદ નો તહેવાર હોય આ દરમિયાન સરકાર દ્વારા કાયદેસર જાહેર કરેલ ઘેટાં,બકરા,પાડા જેવા પશુઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારો માંથી કુરબાની માટે આવતા હોઇ છે.

હાઇવે ઉપર વાહનોને રોકીને પશુઓને કહેવાતા ગૌ-રક્ષકો દ્વારા કાયદો હાથમાં લઈને આ પશુઓને દાદાગીરી થી પોતાની માલિકીના સમજીને ગેરકાયદેસર રીતે ટ્રકના ડ્રાઇવરો તથા આ પશુઓના માલિકોને માર મારે છે અને ગાડીઓ પણ જપ્ત કરીને રૂપિયા પડાવી ગુન્હો કરે છે.

આજ પ્રકાર ની ઘટના રાજસ્થાનના અલવર શહેરમાં દુધાળી ગાયો લઈને જતા બે મુસ્લિમ યુવાનો અકબર ખાન અને અસલમ ખાન ઉપર ત્યાંના લેભાગુ કહેવાતા ગૌ-રક્ષકોએ આંતરી તેમના ઉપર ઘાતકી હુમલો કરેલો છે. તેમ આજે આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યું હતું.

#Collector #News #Festival #Connect Gujarat #Gujarat News #Gujarati News #ભરૂચ #Bharuch #Beyond Just News #Eid
Here are a few more articles:
Read the Next Article