Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 919 નવા કેસ નોધાયા, 963 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 919 નવા કેસ નોધાયા, 963 દર્દીઓ થયા સાજા
X

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 919 નવા પોઝિટવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં આજે વધુ 7 દર્દીઓના મોત થયા છે. જ્યારે આજે 963 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,67,173 પર પહોંચી છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3689 થયો છે. રાજ્યમાં હાલ 13936 એક્ટિવ કેસ છે. જ્યારે 1,49,548 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 65 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,871 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 919 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 166, અમદાવાદ કોર્પોરેશનમાં 162, વડોદરા કોર્પોરેશન 72, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 61, વડોદરા 43, રાજકોટ 32, જામનગર કોર્પોરેશન 28, ભરૂચ 20, ગાંધીનગર કોર્પોરેશન 20, મહેસાણા 18, મોરબી 18, ભાવનગર કોર્પોરેશન 16, કચ્છ 16, ગાંધીનગર 15, જામનગર 15, દાહોદ 14, સાબરકાંઠા 14, અમદાવાદમાં 12 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 7 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, પાટણમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 963 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં આજે 51,370 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 57,42,742 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.46 ટકા છે.

Next Story