Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 988 નવા કેસ નોધાયા,1209 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 988 નવા કેસ નોધાયા,1209 દર્દીઓ થયા સાજા
X

ગુજરાત રાજ્યમાં આજે કોવિડ-19ના 988 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 7 દર્દીના મોત થયા છે. અને 1209 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,37,247 પર પહોંચી છે. સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4248 થયો છે.

રાજ્યમાં હાલ 11397 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,21,602 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 11333 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 988 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 201, સુરત કોર્પોરેશનમાં 128, વડોદરા કોર્પોરેશનમાં 104, રાજકોટ કોર્પોરેશનમાં 102, મહેસાણા 35, વડોદરા 33, ખેડા 32, સુરત 32, રાજકોટ 31, પંચમહાલ 24, દાહોદ 23, ગાંધીનગર 18, જામનગર કોર્પોરેશન 17 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 15 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 7 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, બોટાદ 1 અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1209 દર્દી સાજા થયા છે અને 54,587 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 91,62,980 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.41 ટકા છે.

Next Story