Connect Gujarat
સમાચાર

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1343 નવા કેસ નોધાયા,12 દર્દીના મોત

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1343 નવા કેસ નોધાયા,12 દર્દીના મોત
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1343 નવા પોઝટિવ કેસ નોધાયા છે. જ્યારે આજે વધુ 12 દર્દીઑના મોત થયા છે. રાજ્યમાં આજે 1304 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,41,398 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3490 થયો છે.

રાજ્યમાં આજે 12 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, બનાસકાંઠામાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, નર્મદામાં 1, સુરતમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે 1343 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 173, અમદાવાદ કોર્પોરેશનમાં 171, સુરતમાં 104, રાજકોટ કોર્પોરેશનમાં 107, વડોદરા કોર્પોરેશનમાં 86, જામનગર કોર્પોરેશનમાં 65, રાજકોટમાં 56, મહેસાણામાં 55, વડોદરામાં 42, પાટણમાં 31, કચ્છમાં 29, અમરેલીમાં 27, સુરેન્દ્રનગરમાં 26, જામનગરમાં 25, બનાસકાંઠામાં 24, ભરૂચમાં 24, ભાવનગર કોર્પોરેશનમાં 24, અમદાવાદમાં 23, મોરબીમાં 21, ગીર સોમનાથમાં 20 કેસ નોંધયા હતા.

રાજ્યમાં આજે કુલ 1304 દર્દી સાજા થયા હતા અને 57,065 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 45,88,563 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.66 ટકા છે. રાજ્યમાં હાલ 16,789 એક્ટિવ કેસ છે, જ્યારે 1,21,119 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,698 લોકો સ્ટેબલ છે.

Next Story