૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ એ ભારતનો સ્વતંત્રતા દિવસ

New Update
૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ એ ભારતનો સ્વતંત્રતા દિવસ

૧૫મી ઓગષ્ટ, ૧૯૪૭ એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે વર્ષો સુધી ગુલામ રહેલ ભારત આઝાદ બન્યુ હતુ અને આપણા દેશે સ્વતંત્ર વાતાવરણમાંથી શ્વાસ લેવાનુ ચાલુ કર્યુ હતુ. આજે ભારત દેશ સ્વતંત્ર થયે વર્ષો વિતી ચુક્યા છે. ભારત દેશમાં બંધારણ દ્વારા નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારોને મુળભૂત અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે અધિકારો વિના માનવ વિકાસ શક્ય નથી, આ કારણ થી જ આપણા બંધારણમાં નાગરિકોને અધિકારો આપવામાં આવ્યા છે. અધિકારોની સાથોસાથ આપણા બંધારણમાં નાગરિકોના કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે.

Advertisment

બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યોમાં રાષ્ટ્ર ધ્વજ માટે બે વાક્યો પણ છે. ૧.રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રગીત અને ભારતીય સંવિધાન પ્રતિ અપમાન પ્રદર્શિત ન થાય તેના પ્રત્યે સભાન રહેવુ.,૨. રાષ્ટ્રીય ધ્વજનુ પ્રદર્શન કરતી વેળા યોગ્ય વર્તન કરવુ. આ બંન્ને કર્તવ્યોનુ પાલન થાય તે હેતુથી રાષ્ટ્રીય સમ્માનની અવમાનના પર રોક સંબંધી કાયદો, ૧૯૭૧તથા રાષ્ટ્રીય ધ્વજ સંહિતા એમ બે કાયદાઓ પણ બનેલા છે.

લગભગ ૧૫મી ઓગષ્ટ તથા ૨૬ જાન્યુઆરીના દિવસે જ મોટાભાગના લોકો આ કર્તવ્યો ભુલી જાય છે. ૧૫મી ઓગષ્ટના દિવસે દેશભક્તિ પ્રદર્શિત કર્યા બાદ નાના-નાના ધ્વજો જે-તે જગ્યાએ ફેંકવામાં આવે છે. આ રીતે ધ્વજો નીચે પડ્યા હોવાથી તે જ ધ્વજ પર લોકોના (ભારતીય નાગરિકોના) તેમજ પશુઓના પગ પણ પડતા હોય છે જે ખરેખર એક શરમજનક બાબત છે. ચોંકાવનારી વાત એ છે કે આ કૃત્ય કરવામાં સરકારી કચેરીઓ અને શાળાઓ પણ બાકાત નથી.

જે રીતે આપણે બંધારણના અધિકારો ભોગવીએ છીએ તે જ રીતે બંધારણના કર્તવ્યો/ફરજો નિભાવવાની પણ એક જાગૃત નાગરિક તરીકેની આપણી નૈતિક જવાબદારી છે. રાજ્યશાસ્ત્રના એક વિચારક અનુસાર જો આપણે આપણા કર્તવ્યો સંપૂર્ણપણે નિભાવીએ તો સામેની વ્યક્તિને પોતાના અધિકારો આપોઆપ મળી જાય છે. રાષ્ટ્રધ્વજ તેમજ રાષ્ટ્રગીત એ આપણી રાષ્ટ્રીય સંપતિ છે અને આ સંપતિનુ જતન કરવુ એ આપણી સૌની નૈતિક જવાબદારી પણ છે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment
Latest Stories