અંકલેશ્વર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજ મહિલા સંમેલન યોજાયુ

New Update
અંકલેશ્વર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજ મહિલા સંમેલન યોજાયુ

અંકલેશ્વર રઘુવંશી લોહાણા મહાજન દ્વારા અખિલ ગુજરાત લોહાણા સમાજના સહયોગ થી જીઆઈડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે મહિલા સંમેલન યોજવામાં આવ્યુ હતુ.

001

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય નીમાબેન આચાર્ય, સહિત અખિલ ગુજરાત લોહાણા સમાજ મહિલા સમિતિ ના પ્રમુખ પ્રજ્ઞાબેન રાજા, ઉપરાંત રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી સહિતના જિલ્લાઓમાંથી સમાજના અગ્રણીઓ, હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

002

તારીખ 18મી ડિસેમ્બર રવિવારના રોજ સવાર થી શરુ થયેલ અખિલ ગુજરાત લોહાણા સમાજ મહિલા સંમેલનમાં નાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિ ઓ રજુ કરી હતી. જ્યારે અંકલેશ્વર મહિલા સમિતિ દ્વારા પણ ક્લચરલ કાર્યક્રમમાં ડિબેટ, નાટક, ગીતો તેમજ ડાન્સ પર્ફોમન્સની સુંદર કૃતિઓ રજુ કરી હતી.

004

મહિલા સંમેલનમાં મહિલા સશક્તિ કરણ, ઉપરાંત સમાજને સંગઠીત કરીને નબળા વર્ગોના ઉત્થાન માટેની આગેવાનો દ્વારા હાંકલ કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.