અંકલેશ્વર : ઝમઝમ એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયાં, સીસીટીવીમાં થયા કેદ

New Update
અંકલેશ્વર : ઝમઝમ એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટકયાં, સીસીટીવીમાં થયા કેદ

અંકલેશ્વરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલાં ઝમઝમ એપાર્ટમેન્ટમાં ગત રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયાં હતાં. ચોરી કરવા આવેલા તસ્કરો એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હતાં.

અંકલેશ્વર શહેરમાં પોલીસતંત્ર નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત બન્યું છે ત્યારે તસ્કરો પણ તેમનો કસબ અજમાવવા માટે સજજ બન્યાં હોય તેમ લાગી રહયું છે. અંકલેશ્વરમાં સતત ધમધમતા રહેતા રેલવે સ્ટેશન વિસ્તારમાં ચોરીની ધટના બાદ લોકોમાં ભય જોવા મળી રહયો છે. સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝમઝમ એપાર્ટમેન્ટમાં ગત રાત્રીના ચોરીના ઇરાદે તસ્કરો ત્રાટકયાં હતાં. તેમણે એપાર્ટમેન્ટના ફલેટને બહારથી બંધ કરી દીધાં અને ચોરી કરવાની શરૂઆત કરી હતી. ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. પોતે સીસીટીવીમાં કેદ થઇ ગયા હોવાનું જણાતા ચોરોએ કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીના બનાવ બાદ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. પોલીસ રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ ઉઠી છે.

Read the Next Article

વડોદરાના સુરસાગર તળાવમાં માછલીઓના મોતનો સિલસિલો જારી : તારાપામાં જથ્થો ભર્યો

આજે સવારે સુરસાગર તળાવમા અસંખ્ય મૃત માછલીઓ મળી આવી છે. જેને તરાપામાં સવાર થઇને યુવક દ્વારા કાઢવામાં આવી રહી છે.

New Update
vadodaras

વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં તાજેતરમાં પાલિકા દ્વારા નવી એરેશન સિસ્ટમ મુકવામાં આવી છે. સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યાના ત્રણ દિવસમાં જ ફરી માછલીઓના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.

આજે સવારે સુરસાગર તળાવમા અસંખ્ય મૃત માછલીઓ મળી આવી છે. જેને તરાપામાં સવાર થઇને યુવક દ્વારા કાઢવામાં આવી રહી છે. નવી એરેશન સિસ્ટમ થકી સુરસાગર તળાવના પાણીમાં ઓક્સિજ લેવલ જળવાશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, હવે દાવાથી વિપરીત પરિસ્થિતીનું નિર્માણ થઇ રહ્યું છે.

પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુરસાગર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. બ્યુટિફિકેશન બાદ સમયાંતરે તળાવમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના નોંધાઇ રહી છે.

જેને ટાળવા માટે પાલિકા તંત્ર દ્વારા ત્રણ દિવસ પહેલા જ નવી એરેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે. એરેશન સિસ્ટમ બાદ પાણીમાં ઓક્સિજનનું જરૂરી લેવલ જળવાઇ રહેશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, નવી એરેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યાના ત્રણ દિવસમાં જ સુરસાગરમાં માછલીઓના મૃતદેહ મળી આવ્યા છે.

આજે સવારે તરાપામાં બેસીને એક પછી એક મૃત માછલીઓ એકત્ર કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે એરેશન સિસ્ટમ એટલી હાઇટેક છે કે, સિસ્ટમમાં ખામી સર્જાય તો સીધો અધિકારીને તેનો મેસેજ જશે. જો કે, દાવાઓથી વિપરીત સુરસાગર તળાવમાં માછલીઓના મૃત્યુનો સિલસિલો જારી છે.

પાલિકા દ્વારા શહેરના જળાશયોની જાળવણીમાં કચાશ રાખવામાં આવી રહી હોવાનું આ કિસ્સા પરથી વધુ એક વખત ફલિત થવા પામે છે. હવે માછલીઓના મૃત્યુની ઘટના રોકવા માટે પાલિકા તંત્ર દ્વારા કયા નક્કર પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. 

પાલિકાના સુત્રોએ ઉમેર્યું કે, વહીવટી તંત્ર દ્વારા ગત ગુરૂવારે સુરસાગરમાં વધુ કેપેસીટીવાળી સ્ટોરેજ ટેન્ક અને એર ડ્રાયર મુકવામાં આવ્યા છે. જેમાં 2 કોમ્પ્રેસર અને 15 ડિફ્યુઝર લગાડવામાં આવ્યા છે. જેથી તળાવમાં ઓક્સિજનની માત્રા જળવાઇ રહેશે. આગામી સપ્તાહમાં 15 ડિફ્યુઝર વધુ લગાડવાનું આયોજન હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

Latest Stories