કલેક્ટર શાલિની અગ્રવાલ અને પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે વીર શહિદ આરિફના પરિવારજનો સાથે કરી મુલાકાત

વતન ખાતર ફના થનાર શહેરના વીર મોહમ્મદ આરિફ સફીઆલમ પઠાણના રોશન પાર્ક ખાતેના નિવાસ સ્થાને કલેક્ટર શાલિન અગ્રવાલ અને પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે વીર શહિદના પરિવારજનોને મળીને સાંત્વાના પાઠવી દિલોસોજી વ્યક્ત કરી હતી. મહત્વનુ છે કે, વીર શહિદ આરિફે ૧૮-જમ્મુ કાશ્મીર રાઇફલમાં ફરજ બજાવતા પાકિસ્તાન તરફથી થયેલા સીજફાયરના ઉલ્લંઘનમાં ગોળી વાગતા શહિદી વહોરી હતી.
[gallery td_select_gallery_slide="slide" size="full" ids="104261,104262,104263,104264"]
કલેક્ટર શાલિની અગ્રવાલ અને પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે વીર શહિદ આરિફની તસવીરને પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ વીર શહિદના પરિવારજનો સાથે નીચે બેસીને આરિફના પિતાશ્રી અને ભાઇઓ પાસે પરિવારના સભ્યો અંગે પૃચ્છા કરી હતી. તેમજ શ્રીમતિ અગ્રવાલે વીર શહિદના વિલાપ કરતા માતાશ્રીને આશ્વાસન આપ્યું હતું.
શ્રીમતી અગ્રવાલ જણાવ્યું હતું કે, શહેરનો યુવાન દેશની રક્ષા કાજે શહિદ થયો છે. ત્યારે વીર શહિદના માતા-પિતા અને પરિવાજનોને મળી આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવીએ છીએ. પરિવારજનો સાથે ચર્ચા થયા મુજબ જ્યારે હજુ એક યુવાન શહિદ થયો છે. ત્યારે વીર શહિદનો નાનો ભાઇ અને આ વિસ્તાર અન્ય યુવાનો પણ વતનની સેવા કરવાની મહેચ્છા ધરાવે છે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર તેમને કોઇ પણ કામ-મદદ માટે તેમની સાથે ઉભું છે.
પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત કહ્યું કે, દુઃખની આ ઘડીમાં વીર શહિદના આરિફના પરિવાર સાથે છીએ. પરંતુ જ્યારે કોઇ માતા-પિતાએ યુવાન દિકરો ગુમોવ્યો હોય તેનુ દુઃખ હોય જ. સાથે દેશની રક્ષા કરતા પ્રાણની આહુતિ આપવી એ પણ ગર્વની વાત છે. વડોદરા પોલીસ તેમને તેમની બહાદુરી માટે સેલ્યુટ કરે છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
'અસામાજિક તત્વોનો આંતક' દસાડાના વણોદ ખાતે નાઇટ ડ્યુટી કરી રહેલા GRD...
28 Jun 2022 12:04 PM GMTઅમદાવાદ : જગન્નાથ રથયાત્રામાં નિજ મંદિરથી દરિયાપુર સુધી સંવેદનશીલ...
28 Jun 2022 11:50 AM GMTપાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો
28 Jun 2022 11:41 AM GMTરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો...
28 Jun 2022 11:32 AM GMTસુરત : અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા કાપડના વેપારીઓને...
28 Jun 2022 11:15 AM GMT