જન ધન હેઠળના ખાતાઓની ઉપાડ મર્યાદા ઘટાડીને રૂ 10000 કરવામાં આવી

New Update
જન ધન હેઠળના ખાતાઓની ઉપાડ મર્યાદા ઘટાડીને રૂ 10000 કરવામાં આવી

હાલમાં રજૂ થયેલ એક અહેવાલ પ્રમાણે જન ધન યોજના અંતર્ગતના ખાતાનો ઉપયોગ બિનહિસાબી નાણાંનો સંગ્રહ કરવા માટે થતો હોવાનું બહાર આવ્યું છે જેના અનુસંધાનમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા આ યોજના અંતર્ગતના ખાતાઓની ઉપાડની મર્યાદા ઘટાડીને રૂ 10000 કરવામાં આવી છે.

RBI દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું હતું કે જે ગ્રાહકનું ખાતું સંપૂર્ણપણે KYC સુસંગત છે તેવા ધારકો મહિનામાં 10000 ની મર્યાદામાં રકમ ઉપાડી શકશે. શાખા મેનેજરોને જરૂરી દસ્તાવેજીકરણ કરીને આ મર્યાદા ઉપરની રકમ ધારકને ઉપાડવા માટેની પરવાનગી આપવામાં આવી છે.

જયારે KYC સાથે સુસંગત ન હોય તેવા ખાતા માટે 9 નવેમ્બર પછી જમા થયેલ રકમ પરની ઉપાડ મર્યાદા રૂ 5000 કરવામાં આવી છે.

આ નિર્ણયનો મુખ્ય હેતુ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ગ્રામીણ લોકો અને ખેડૂતો ના ખાતાઓને બેનામી મિલકતના વ્યવહારો અને મની લેન્ડરિંગ જેવી ગેરકાનૂની પ્રવૃતિઓ સામે રક્ષણ આપવાનો છે.

આ અગાઉ પણ સરકાર દ્વારા જાહેર ચેતવણી આપવામાં આવી હતી કે તેમના જન ધન ખાતાનો ઉપયોગ બિન હિસાબી રોકડને છુપાવવા માટે થઇ શકે છે.

નાણામંત્રાલય દ્વારા જન ધન ખાતામાં રૂપિયા જમા કરાવવાની મહત્તમ મર્યાદા રૂ 50000 સુધી રાખવામાં આવી હતી.

Read the Next Article

મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

New Update
marathi bhasa

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'

આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'

આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.

Maharastra | Controversy | MNS | Mumbai | Mumbai Police