Connect Gujarat
ગુજરાત

જામનગરથી જગન્નાથ પુરીની જાત્રાએ ગયેલા ૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓ ઓરિસ્સામાં ફાની વાવાઝોડામાં ફસાયા

જામનગરથી જગન્નાથ પુરીની જાત્રાએ ગયેલા ૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓ ઓરિસ્સામાં ફાની વાવાઝોડામાં ફસાયા
X

ફાની વાવાઝોડામાં ફસાયા તમામ લોકોનો હાલ પરિજનો સાથે સંપર્ક થઈ શકતો નથી

ઓરિસ્સામાં સ્થાનિક ટ્રાન્સપોર્ટ તેમજ પાણી તથા જમવાની વસ્તુમાં પણ બેફામ વધારો કરી ગુજરાતી શ્રદ્ધાળુઓને લૂંટવામાં આવી રહ્યા

જામનગરથી જગન્નાથ પુરીની જાત્રાએ ગયેલા ૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓ ઓરિસ્સામાં ફાની વાવાઝોડામાં ફસાયા છે.જામનગરમાં દર વર્ષે મે મહિનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રા પ્રવાસે જતા હોય છે. જામનગરના કિશોરભાઈ રસોઈયા દ્વારા ૪૦૦થી વધુ શ્રદ્ધાળુઓને જગન્નાથ પુરીની યાત્રાએ ટ્રેન મારફતે લઇ ગયા છે.જોકે ફેની વાવાઝોડાની અસર ઓરિસ્સા અને અન્ય રાજ્યોમાં ભારે જોવા મળી રહી છે અત્યારે અહીં આવેલા પ્રવાસીઓ ફસાયા છે.

જામનગર થી કિશોરભાઇ રસોઈયા જામનગર ના ૪૦૦ થી વધારે લોકો ને લઈ જગન્નાથ પૃઈ ની જાત્રાએ ગયા છે ત્યારે જામનગરના કિશોરભાઇ રસોઈયા અને અન્ય તેમની સાથે ગયેલા કિશોરભાઈ સોલંકીના પરિજનો પણ જગન્નાથ પુરીની જાત્રાએ ગયા છે.સોલંકી પરિવારમાંથી ત્રણ લોકો જગન્નાથપુરીની જાત્રાએ ગયા છે. ફેની વાવાઝોડું આવી પહોંચતા તેઓ અહીં ફસાઈ ગયા છે.જોકે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક મદદ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે ફેની વાવાઝોડાથી ફફડાટ ફેલાયો છે.અનેક લોકોના મોત પણ થયા છે.જામનગર જિલ્લા કલેક્ટર વહીવટીતંત્ર પોલીસમાં ફસાયેલા તમામ લોકોની વહારે પહોંચ્યું છે.યુદ્ધના ધોરણે તમામ શ્રદ્ધાળુઓને બચાવવામાં આવે તેવી તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ફાની વાવાઝોડામાં ફસાયા તમામ લોકોનો હાલ પરિજનો સાથે સંપર્ક થઈ શકતો નથી.પક્ષ તો સ્થાનિક ટ્રાન્સપોર્ટ તેમજ પાણી તથા જમવાની વસ્તુમાં પણ બેફામ વધારો કરી ગુજરાતી શ્રદ્ધાળુઓને લૂંટવામાં આવી રહ્યા છે..તો પરિજનો માંગ કરી રહ્યા છે કે તેઓ જાત્રાએ ગયેલા પોતાના પરિજનો સાથે વાતચીત કરી શકે.

Next Story