જુનાગઢ : મજેવડી દરવાજા પાસે ઈનોવાની હડફેટે વાછરડાનું ઘટનાસ્થળે જ કમાટી ભર્યુ મોત

New Update
કચ્છ : ગાંધીધામમાં એસટી બસ અને મોટર સાઇકલ વચ્ચે સર્જાયો અકસ્માત : બેનાં મોત

જાણવા મળતી વિગતો મુજબ મજેવડી દરવાજા પાસે પૂરપાટ ઝડપે જઇ રહેલ ઈનોવા કારના ચાલક દ્વારા ગાયના એક નાનકડા વાછરડાને હડફેટે લેતા વાછરડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિરેનભાઇ રૂપારેલીયા તેમજ પરિષદના કાર્યકરો અને ગૌ પ્રેમીઓ ખબર મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોઇ ઇનોવા કાર ચાલક પુરપાટ ઝડપે કાર ચલાવી નાના એવા વાછરડાને હડફેટે લઇ નાસી ગયેલ હોય ઇનોવા કારની ઠોકર એટલી ગંભીર હતી કે ગાયનુ વાછરડુ ઘટના સ્થળે તરફડીને મોત ને ભેટયુ હતુ ત્યાર બાદ વિશ્વ હિન્દુ પરિષદ ના મંત્રી હિરેન રૂપારેલીયા એ,બી.ડિવિઝન પોલીસ માં જાણ કરતા મજેવડી ગેટ પોલીસ ચોકીના પી.એસ.આઇ પરમાર પણ ઘટના સ્થળે સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. તપાસ કરી સી.સી.ટીવી ના કુટેઝ ચેક કરતા આ ઇનોવા કાર હોવાનુ માલુમ પડેલ હોય જે સંદર્ભ માં ઇનોવા કાર ચાલક સામે ધોરણસર ની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories