નવયુગ વિદ્યાલય અને રેંજ ફોરેસ્ટ જંબુસરના સંયુક્ત ઉપક્રમે યોજાયો વૃક્ષારોપણ કાયૅક્રમ

New Update
નવયુગ વિદ્યાલય અને રેંજ ફોરેસ્ટ જંબુસરના સંયુક્ત ઉપક્રમે યોજાયો વૃક્ષારોપણ કાયૅક્રમ

નવયુગ વિદ્યાલય જંબુસર માં ઈકોક્લબ અંતર્ગત વૃક્ષારોપણ કાયૅક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેંજ ફોરેસ્ટ કચેરી તરફથી ટ્રીગાડૅ તથા રોપા શાળા ને ફાળવ્યા હતા.

Advertisment

તેમના સહકારથી શાળા માં પ્રાથમિક,માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના વગૅ પ્રતિનિધિ તથા ઈકોક્લબ સમિતિના સભ્યો દ્વારા શાળાના આચાર્ય ના માગૅદશૅન હેઠળ તથા ઈકોક્લબ ના ઈનચાજૅ અમરસંગ વસાવા ના સહયોગથી વૃક્ષારોપણ કરી ટ્રીગાડૅ લગાવી આ રોપાનું જતન કરી ઉછેરવાની બધાએ પ્રતિજ્ઞા લીધી હતી.

શાળાના આચાર્ય હિતેન્દૃસિંહ ઠાકોરે વૃક્ષો નું મહત્વ, છોડમાં રણછોડ છે વિગેરે બાબતો પર ભાર આપી શાળાના વિદ્યાર્થીઓ ને માગૅદશૅન આપ્યું હતું.

Read the Next Article

કચ્છમાં ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરાઈ

વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે...

New Update
  • ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ

  • 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ

  • ઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી હેરિટેજ સાઇટ જાહેર

  • દરિયા કિનારે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળ્યા

  • પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન પણ બન્યું

Advertisment

કચ્છ જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલઇનલેન્ડ મેન્ગ્રોવ ગુનેરી’ સાઇટને ગુજરાતની પ્રથમ "બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ" તરીકે જાહેર કરવામાં આવી છે. વિશ્વના ગણતરીના અને ભારતના એકમાત્ર એવા સ્થળોમાંનું એક જ્યાં દરિયા કિનારાથી લગભગ 45 કિલોમીટરના અંતરે મેન્ગ્રુવના હરિયાળા જંગલો જોવા મળે છે.

કચ્છ જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ગુનેરી ગામનો 32.78 હેક્ટર વિસ્તાર કુદરતી ઇનલેન્ડ મેન્ગ્રોવ સાઇટ છે. કચ્છની સૂકી ધરતી પર જ્યાં રણની રેતી પથરાયેલી હોયત્યાં લીલાછમ મેન્ગ્રોવના વૃક્ષોનું આ જંગલ ખરેખર એક અજાયબી છે. આ અનોખી વિશેષતા અને પર્યાવરણીય મહત્વને કારણે આ સાઇટને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ગુજરાતની પ્રથમ'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટતરીકે જાહેર કરવામાં આવી છે.

આ વિસ્તારમાં'એવિસેનીયા મરીનાનામની મેન્ગ્રોવ પ્રજાતિ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ મેન્ગ્રોવ માત્ર વૃક્ષો નથીપરંતુ 20 પ્રવાસી અને 25 સ્થાનિક પક્ષીઓનું નિવાસસ્થાન છે. જેમાં ફ્લેમિંગોહેરિયર જેવા દુર્લભ જળ પક્ષીઓનો સમાવેશ થાય છે. મેન્ગ્રુવ કાર્બન ડાયોક્સાઇડ શોષીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે અને ચક્રવાત-સુનામી જેવી આફતો વખતે કુદરતી દીવાલનું કામ કરે છે.