ભણસાલીની ફિલ્મ પદ્માવતીનું નામ બદલાઈને પદ્માવત થયુ 

New Update
ભણસાલીની ફિલ્મ પદ્માવતીનું નામ બદલાઈને પદ્માવત થયુ 

ફિલ્મ પદ્માવતી સાથેનાં વિવાદનો અંત આવી ગયો છે ,તેમજ સીબીએફસી બોર્ડની વિશેષ સમિતિએ ફિલ્મને ૨૬ કટ સાથે યુએ સર્ટિફિકેટ આપવાની વાત અહેવાલમાં જણાવી દીધી છે. ફિલ્મનું નામ પદ્માવતીનાં સ્થાને પદ્માવત કરાયુ છે. તેમ જ ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીની બિગ બજેટ ફિલ્મ નવા વર્ષે રિલીઝ થવાની છે.

ફિલ્મનાં શીર્ષક સાથે અન્ય બે શરતો ડિસ્કલેમર મૂકવાની તેમ જ ઘૂમર ગીતના સ્થાને અન્ય ગીત મૂકવાની વાત ફિલ્મ મેકરોએ માની લીધી છે. ભણસાલીની આગામી 180 કરોડ રૂપિયાનાં ખર્ચે બનેલી બિગ બજેટ ફિલ્મ રાણી પદ્માવતીની રિલીઝને યુ એ સર્ટિફિકેટ સાથે મંજૂરી મળી ગઇ છે.

ફિલ્મનાં વિરોધને જોતા ફિલ્મ પદ્માવતીનું નામ બદલાઇ ગયુ છે. જે પદ્માવતીના સ્થાને પદ્માવત હશે એવા અહેવાલો છે. ફિલ્મમાં 26 કટ થયા બાદ ફિલ્મને યુ એ સર્ટિફિકેટ સાથે વહેલી તકે રિલીઝ કરવા માટે ફિલ્મ મેકર તૈયાર થયા છે. ફિલ્મનું નામ તેમ જ ઘૂમર ગીતના સ્થાને અન્ય ગીત મૂકી ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી સીબીએફસી બોર્ડ આપશે એવા અહેવાલો સામે આવી રહયા છે.

Read the Next Article

આ ઉપચાર કરવાથી સ્કીન ટોન અને ડાર્ક સર્કલ સુધરશે, જાણો બ્યુટી ટીપ્સ

રક્ષા બંધન તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ચહેરા પરના ડાર્ક સર્કલ કેવી રીતે દૂર કરવા તે મોટી સમસ્યા બની છે. યુવતીઓ ડાર્ક સર્કલ દુર કરવા બ્યુટિ પાર્લરમાં મોંધી ટ્રીટમેન્ટ કરાવે છે.

New Update
face care

ચહેરા પરના ડાર્ક સર્કલ કેવી રીતે દૂર કરવા તે મોટી સમસ્યા બની છે. 

યુવતીઓ ડાર્ક સર્કલ દુર કરવા બ્યુટિ પાર્લરમાં મોંધી ટ્રીટમેન્ટ કરાવે છે. અપૂરતી ઊંઘ, થાક, ખરાબ ખાવાની આદતો અને સતત સ્ક્રીન ટાઈમની ચહેરા પર અસર દેખાઈ આવે છે. આંખો નીચેના ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતા બગાડે છે.

ડાર્ક સર્કલ ચહેરાની સુંદરતાના દુશ્મન છે. જો શરૂઆતમાં ડાર્ક સર્કલને દૂર કરવામાં ના આવે તો ત્વચા સંબંધિત સમસ્યા વધવા લાગે છે. તમે ઘરેલુ ઉપચાર કરી આ સમસ્યાને દૂર કરી શકો છો. આઈસ થેરાપી અને બટાકાનો ઉપયોગ કરી ડાર્ક સર્કલને ઘણી હદ સુધી ઘટાડી શકશો અને સ્કીન ટોન પણ સુધરશે.