ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક પુરના પાણીમાં 15 જેટલી ભેંસો ફસાઈ

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે કેવડીયા સ્થિત નર્મદા ડેમની સપાટી 131 મીટર સુધી પહોંચી જતાં ગુરૂવારે રાત્રે ડેમના 26 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહયું છે. ડેમમાંથી આવી રહેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે શુક્રવારે બપોરે નર્મદા નદી તેના 22 ફૂટના વોર્મિંગ લેવલ સુધી પહોંચી ગઇ હતી. નર્મદા નદીમાં 2013 બાદ ફરીથી પુરની સ્થિતિનું નિર્માણ થયું છે.
દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા લકકડીયા પુલ નજીકથી 15 જેટલી ભેંસો પાણીમાં ફસાઈ હતી. નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યાં છે. નર્મદા નદીની સપાટી વધી રહી હોવાથી કાંઠા વિસ્તારના ૪પ ગામોને હાઇએલર્ટ કરી દેવાયાં છે. ભરૂચના નીચાણવાળા વિસ્તારો ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી, દાંડિયાબજાર અને વેજલપુર તથા અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન, શકકરપોર ભાઠા, તરિયા અને જુના બોરભાઠા તેમજ ઝઘડિયાના જુના પોરા ગામમાં નદીના પાણી ફરી વળતાં લોકોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. 2013 અને 2015 બાદ ફરીથી ભરૂચના ગોલ્ડનબ્રિજે નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT