ભરૂચ : અંકલેશ્વરમાં અનેક વિસ્તારોમાં દીવાલ ધરાશાયી થવાના બનાવો બન્યા, તંત્ર પ્રત્યે લોકોમાં રોષ

અંકલેશ્વર શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદની સાથે સાથે જોરદાર પવન ફૂંકાઇ રહ્યો હતો જેને લઇને કેટલાક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની હતી, ત્યારે અંકલેશ્વરના ચોકસી બજારમાં આવેલ એક બંધ મકાનની દિવાલ ધરાશયી થવાની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દીવાલ ધરાશાયીની ઘટના સમયે ઘટના સ્થળ ઉપર કોઈ પણ હાજર ન હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ અંકલેશ્વરના ગોયા બજારમાં સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં એક મહિલાનું મોત નિપજયું હતું. ત્યારે આજે ફરી એકવાર અંકલેશ્વરના ચોકસી બજારમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુની શરૂઆતની પહેલા શહેરમાં સર્વે કર્યા બાદ જર્જરિત તેમજ ભયજનક મકાનોને વહેલી તકે ઉતારી લેવા અને સમારકામ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે ફક્ત નોટિસ ફટકારીને નગરપાલિકા દ્વારા સંતોષ માની લેવામાં આવતા ચોમાસાની ઋતુમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની રહી છે.
તો બપોર બાદ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ શાયોના રેસિડેન્સીની દીવાલ (પ્રોટેક્શન વૉલ) ધરાશાયી થવાની ઘટના બની હતી. છેલ્લા ઘણા સમયથી રહીશો દ્વારા બિલ્ડરને રજુઆત કરવા છતાં પણ આજ દિન સુધી તેની મરમ્મત નહીં કરવામાં આવતા શાયોના રેસિડેન્સીના રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે બપોર બાદ એકાએક દીવાલ ધરાશાયી થવાની ઘટનાના પગલે એક સમયે રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
અંકલેશ્વર શહેરમાં હજુ પણ કેટલાક જર્જરિત મકાનો અને ઈમારતનો સમાવેશ થાય છે, જેને નગરપાલિકા દ્વારા નોટીસ ફટકારવામાં તો આવે છે પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાનો અડીખમ ઉભા છે, ત્યારે હવે નગરપાલિકા દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે...
30 Jun 2022 1:10 PM GMT