ભરૂચ પટેલ નગરમાં ગરબા ખેલૈયાઓએ સ્વાઈન ફલૂ અંગે જાગૃતતા લાવવાનો કર્યો પ્રયાસ

New Update
ભરૂચ પટેલ નગરમાં ગરબા ખેલૈયાઓએ સ્વાઈન ફલૂ અંગે જાગૃતતા લાવવાનો કર્યો પ્રયાસ

ભરૂચ પટેલ નગરમાં નવરાત્રીની રંગત સાથે ખેલૈયાઓ અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે, અને ગરબા રમવા ઉપરાંત મોઢા પર માસ્ક પહેરીને લોકોને સ્વાઈન ફલૂ સામે રક્ષણ અંગેનો એક મેસેજ પણ આપી રહ્યા છે.

ભરૂચ પટેલ નગર સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. અને ગરબા ખેલૈયાઓ પણ મનમુકીને ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે શક્તિ અને ભક્તિનાં પર્વમાં લોક જાગૃતતા અર્થેનો મેસેજ પણ ગરબા ખેલૈયા આપી રહ્યા છે.

પટેલ નગરમાં ગરબાની રમઝટ બરાબર જામી હતી અને કેટલાક ખેલૈયા મોઢા પર માસ્ક પહેરીને ગરબે રમી રહ્યા હતા, જેમને પ્રથમ નજરે જોતા લોકોને ભારે ક્તુહલ સર્જાયુ હતુ કે આ ખેલૈયા શા માટે મોઢા પર માસ્ક પહેરીને ગરબા રમી રહ્યા છે, પરંતુ જ્યારે સૌને તેની પાછળની સાચી હકીકત અંગે જાણવા મળ્યુ ત્યારે સૌ કોઈએ ગરબા ખેલૈયાઓનાં આ પ્રયાસને બિરદાવ્યો હતો.

રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ આ વર્ષે અનેક લોકોને ભરડામાં લીધા હતા, અને આ જીવલેણ રોગ સામે રક્ષણ માટે ગરબા ખેલૈયાઓએ મોઢા પર માસ્ક પહેરીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો હતો.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.