રાજકોટ: ઘરફોડ ચોરીના બે આરોપીઓની કરી ધરપકડ

New Update
રાજકોટ: ઘરફોડ ચોરીના બે આરોપીઓની કરી ધરપકડ

14.30લાખ રોકડ અને 2.20લાખ ના દાગીના ની કરી હતી ચોરી

ક્રાઇમબ્રાન્ચે 5લાખ રોકડા કર્યા કબ્જે

આરોપી ચંદુ અને રવિની કરી ધરપકડ

રાજકોટમા ચોરી લૂંટફાટ અને હત્યાના બનાવો સામાન્ય બની ગયા હોઈ તેવુ લાગી રહ્યુ છે. ત્યારે પોલીસે પણ છેલ્લા કેટલાંય સમયથી ફરાર આરોપીઓને પકડવા મિશન હાથ ધર્યુ હોઈ તેવુ લાગી રહ્યું છે. રાજકોટ ક્રાઈમબ્રાંચની ટીમ દ્વારા શહેરના પુષ્કરધામ વિસ્તારમા 7 મહિના પુર્વે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ત્યારે પુષ્કરધામ વિસ્તારમા દિવાળી સમયે ઈમરાન મેતરનો પરિવાર ફરવા બહાર ગયો હતો.

આ સમયે ઘરમા રહેલ રોકડ અને સોનાના દાગીના સહિત 16.50લાખની ચોરી થવા પામી હતી. જે તે સમયે પોલીસે પણ મોબાઈલ રેકોર્ડ અને સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી હતી. જો કે ક્યાંક ને ક્યાંક પોલીસ આરોપી સુધી પહોંચવામા નિષ્ફળ નિવડી હતી. ત્યારે આખરે ક્રાઈમ બ્રાંચે આરોપીઓને પકડી પાડતા સબંધીઓ જ ચોર હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે પકડી પાડેલ ચંદુ ફરિયાદીની સાળીનો પતિ હોવાનુ સામે આવ્યુ છે. પોલીસની પ્રાથમિક પુછપરછમા ચંદુએ પોતાના માસાજી ઘરમા ક્યા પૈસા અને દાગીના રાખે છે તેનો ખ્યાલ હતો. તેમજ ઘરે અવારજવાર પણ રહેતી હોવાથી ક્યારે પરિવાર બહાર ગામ જવાનો હતો તેનો ખ્યાલ હોવાથી પરિવાર બહાર ગયો હતો ત્યારે તેનો લાભ લઈ ચોરી કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે
Latest Stories